SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રામાણ્યને સ્વીકારવું. આગમની પરીક્ષા માટે, સુવર્ણની પરીક્ષા માટેના સાધનની જેમ જ કષ, છેદ અને તાપ ત્રણ સાધન જણાવ્યાં છે. કસોટીના પથ્થર ઉપર ઘસવાથી; ટુકડા કરવાથી અને અગ્નિમાં તપાવવાથી જેમ શુદ્ધ સુવર્ણની ખબર પડે છે, તેમ શાસ્ત્રસ્વરૂપ સુવર્ણની પરીક્ષા કરવા માટે કષ, છેદ અને તાપનો ઉપયોગ કરવો જોઈએ. અન્યથા પિત્તળ જેવા શાસ્ત્રને પ્રમાણ માનવાનો પ્રસંગ આવશે. સામાન્ય રીતે દરેક શાસ્ત્રકારો હિંસા ન કરવી; અસત્ય ન બોલવું; ચોરી ન કરવી...' ઈત્યાદિ વાક્યો દ્વારા હિંસાદિ પાપોનો નિષેધ કરતા હોય છે. અને “હિંસાનું પાલન કરવું... તપ કરવો તેમ જ વિનય-બહુમાન કરવું....' વગેરે વાક્યો દ્વારા અહિંસાદિનું વિધાન કરતા હોય છે. તેથી આવાં નિષેધ અને વિધિ પરક વાક્યોની પુષ્કળતાના કારણે દરેક શાસ્ત્રો કષશુદ્ધ જણાતાં હોય છે. તદુપરાંત કેટલાક શાસ્ત્રકારો સામાન્ય રીતે નિષિદ્ધની નિવૃત્તિ અને વિહિતની પ્રવૃત્તિ માટે તે તે ઉપાયો દર્શાવતા હોવાથી તેમના ગ્રન્થો છેદથી પણ શુદ્ધ જણાય છે. પરન્તુ તે તે દર્શનકારોએ આત્માદિને સર્વથા પરિણામી કે સર્વથા અપરિણામી [સર્વથા નાશવંત કે સર્વથા એક જ સ્વભાવમાં સ્થિત]..... વગેરે અવસ્થાપન માનવાથી તેમના મતે આત્મામાં કોઈ પણ જાતના ફેરફારની શક્યતા રહેતી નથી. અને તેથી નિષિદ્ધના આચરણથી પ્રાપ્ત થનાર દુષ્ટ ફળનો અને વિધાન કરાયેલા આચારના આચરણથી પ્રાપ્ત થનાર શુભ ફળનો સંભવ તેમના મતમાં ન હોવાથી તેવા ફળનું નિરૂપણ કરનારાં તેમનાં શાસ્ત્રો અર્થહીન બને છે ૪૮ -
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy