________________
मध्यमबुद्धस्त्वीर्यासमितिप्रभृति त्रिकोटिपरिशुद्धम् । आद्यन्तमध्ययोगैर्हितदं खलु साधुसद्वृत्तम् ॥२-७ ॥
રાગ, દ્વેષ અને મોહ [અજ્ઞાન]. ઈત્યાદિ ત્રણ કોટિથી શુદ્ધ [રહિત], તેમ જ શરૂઆતની, વચ્ચેની અને છેલ્લી અવસ્થામાં હિતને આપનાર ઈર્યાસમિતિ વગેરે સાધુભગવંતોનું સવૃત્ત-સદાચરણ મધ્યમબુદ્ધિવાળા જીવોને સર્વદા સારી રીતે જણાવવું-આ પ્રમાણે સાતમી ગાથાનો શબ્દાર્થ છે. અગિયારમી ગાથામાં “સા સમાધ્યેય” આ પદ છે. તેની સાથે “સાધુતવૃત્ત' - આ પદનો સંબંધ છે. તેથી સાતમી ગાથાનો અર્થ ઉપર જણાવ્યા મુજબ થાય છે.
પૂર્વે જણાવ્યા મુજબ મધ્યમબુદ્ધિવાળા જીવો સધર્મની પરીક્ષા કરતી વખતે બાદ્યલિંગને પ્રધાનસ્વરૂપે ન જોતાં આત્યંતર [સામાન્ય લોકોને જણાય નહિ તેવા આચારને મુખ્યપણે વિચારે છે, તેથી તેમને તેવા પ્રકારના સાધ્વાચારનો ઉપદેશ આપવો જોઈએ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સ્વરૂપ પ્રવચનમાતાનું પાલન કરવા સ્વરૂપ પૂ.સાધુભગવંતોનો આચાર છે. તે ઈર્યાસમિત્યાદિ પ્રવચનમાતાનું પાલન કરતી વખતે પૂ. મુનિભગવંતો ત્રિકોટિપરિશુદ્ધ આચારનું પાલન કરે છે. સામાન્યપણે કોઈ પણ જાતના પાપથી રહિતપણે જ સર્વ આચારોનું પાલન કરવાનું શાસ્ત્રકારશ્રીએ ફરમાવ્યું છે. રાગ, વૈષ કે મોહને લઈને પાપ થાય છે; હણવાના [કાપવા, છેદવા અથવા તોડવા કારણે, રાંધવાના કારણે કે ખરીદવાના કારણે પાપ થાય છે અથવા તો જાતે પાપની કોઈ પણ પ્રવૃત્તિ કરવાથી, કરાવવાથી કે અનુમોદવાથી પાપનું ઉપાર્જન થતું