SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મમત્વથી રહિત થવા માટે નવકલ્પી વિહાર ખૂબ જ આવશ્યક છે. . શ્રી ગણધરાદિ મહાત્માઓએ સેવેલી એ પરમતારક મર્યાદાનું પાલન કરવામાં કોઈ પણ જાતનો પ્રમાદ સેવાયું નહિ-એનું ધ્યાન રાખવું જોઈએ. શક્તિસંપન્ન આત્માઓએ એ મર્યાદાનું પાલન કરવામાં ઉપેક્ષા કરવી ના જોઈએ. આ રીતે કઠોર આચારોના પાલન સાથે પૂ. સાધુભગવન્તોને કાઉસ્સગ્ગ કરવાનું પદ્માસનાદિમાં રહેવાનું અને આતાપનાદિ ગ્રહણ કરવાનું ફરમાવ્યું છે. ગમે તેવા મરણાન્ત કષ્ટ વખતે આત્મા સત્ત્વહીન બને અને શરીરદુઃખ સહન કરી શકે નહિ-એવી વિષમ સ્થિતિ સર્જાય નહિ-એ માટે શરીર અને આત્માને કેળવ્યા વિના ચાલે એવું નથી. શરીર અને આત્માને કેળવવા માટે ઉપર જણાવ્યા મુજબ કાયોત્સર્ગ [કાઉસ્સગ્ગ] કરવાનું અને પદ્માસનાદિમાં રહેવાનું કે આતાપનાદિ લેવાનું ફરમાવ્યું છે. શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલા પરમતારક આ બાહ્ય આચારોના પાલનપૂર્વક ઉપાશ્રયની પ્રતિલેખના અને શ્રી ઉત્તરાધ્યયનાદિ સૂત્રોના અધ્યયન માટે કાલ-ગ્રહણાદિ લેવાનું પણ પૂ. સાધુભગવન્તોને અનિવાર્ય છે. આ બધા જ બાહ્ય. આચારો બાલ જીવોને ખૂબ જ સ્પષ્ટપણે અપવાદ વિના જણાવવા અને તેમની સામે તે તે આચારોનું ખૂબ જ બારીકાઈથી ધર્મદેશકે પાલન કરવું જોઈએ.. ૫૨-૩-૪-૫-૬॥ *** હવે મધ્યમબુદ્ધિવાળા આત્માઓને જે દેશના આપવાની છે તેનું સ્વરૂપ વર્ણવાય છે ૪૫
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy