SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પિંડવિશુદ્ધિનું ખૂબ જ મહત્ત્વ છે. શરીરની મમતાનો ત્યાગ કર્યા વિના પિંડવિશુદ્ધિનું પાલન કરવાનું શક્ય નથી. પ્રાણાન્તે પણ અશુદ્ધ આહાર-પાણીને ગ્રહણ નહિ કરનારા મહાત્માઓના સંયમજીવનનું આલંબન ન હોય તો પિંડવિશુદ્ધિ; સંયમજીવનમાંથી નાશ પામશે. સંયમજીવનના નિર્વાહ માટે નિર્દોષ પિંડની પ્રાપ્તિ વખતે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને નિયમ કરવાનું શ્રીવીતરાગ પરમાત્માએ ફરમાવ્યું છે. “અમુક દ્રવ્ય જ, અમુક જ સ્થાને, અમુક કાળે જ, અમુક જ આપશે તો ગ્રહણ કરીશ.”-આવા પ્રકારના અનુક્રમે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને અભિગ્રહ ધારણ કરવાનો આચાર પૂ.સાધુમહાત્માઓ પાળે છે. આગમપ્રસિદ્ધ તે તે અભિગ્રહોના પાલન સાથે પૂ. સાધુભગવન્તોને દૂધ દહીં વગેરે છ વિગઈઓનો ત્યાગ કરવાનો ઉપદેશ અપાયો છે. તેમ જ ઉપવાસ વગેરે તપના દિવસ પછીના દિવસે વાપરવા સ્વરૂપ પારણામાં, એક દ્રવ્યે જ વાપરવું અને એક, બે કે ત્રણ વગેરે કોળિયા વાપરવાનો નિયમ પણ ફરમાવ્યો છે. > ઉપર જણાવેલા વિશિષ્ટ-અભિગ્રહપૂર્વકના તપ વગેરેને કરનારા પૂ. મુનિભગવન્તોનો અનિયત વિહાર હોય છે. પોતાના શરીર પ્રત્યે પણ નિસ્પૃહ એવા તે મહાત્માઓ કોઈ પણ સ્થાને મમત્વ કર્યા વિના કોઈ પણ એક સ્થાને રહેતા નથી. સામાન્ય રીતે માસકલ્પ [એક મહિનો રહેવાનો આચાર] પ્રાયોગ્ય ક્ષેત્ર મળે તો એકવર્ષમાં નવ વિહાર થાય છે-તેને શાસ્ત્રીય પરિભાષામાં નવકલ્પી વિહાર કહેવાય છે. ૪૪
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy