________________
પ્રતીકાર કર્યા વિના કે તેને આવતા અટકાવ્યા વિના સહન કરવાની ઈચ્છાદિને અહીં “શીતોષ્પસંદન' તરીકે વર્ણવ્યું છે. કોઈ પણ જાતની દીનતા લાવ્યા વિના પરીસહો સહન કરવાએ સાધ્વાચાર છે.
શ્રી વીતરાગ પરમાત્માએ મુનિભગવંતોને છઠ્ઠ અટ્ટમ વગેરે તપ કરવા ફરમાવ્યું છે. દુઃખે કરી આચરી શકાય એવા આ બાહ્યતપ મહાકષ્ટ સ્વરૂપ છે. અલ્પસત્ત્વનોધેયીવાળા અને દુર્બળ શરીરસંઘયણવાળા જીવો આ તપોનુષ્ઠાન કરવા શક્તિસંપન્ન બનતા નથી-તેથી આ તપોને મહાકષ્ટદુરનુચરસ્વરૂપ વર્ણવ્યા છે. સત્ત્વશાળી આત્માઓ જ છઠ્ઠા અટ્ટમ વગેરે તપ કરી શકે છે.
સંયમની સાધના માટે આવશ્યક એવાં વસ્ત્ર પાત્ર વગેરે ઉપકરણો શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ અલ્પ પ્રમાણમાં જ રાખવાનાં છે. એ ઉપકરણો પણ પોતાના માટે બનાવેલાં કે ખરીદેલાં..વગેરે દોષથી રહિત-વિશુદ્ધ હોય એવાં જ લેવાનાં છે. અવિશુદ્ધ-પોતાના માટે બનાવેલાં કે ખરીદેલાં વગેરે દોષયુક્ત ઉપકરણો ધારણ કરવાની આજ્ઞા નથી. '
વસ્ત્ર પાત્ર વગેરે ઉપકરણોની જેમ જ સંયમના નિર્વાહ માટે આહાર-પાણી પણ આધાકર્માદિ બેતાળીશ દોષોથી રહિત લેવાનાં છે. તેથી મુનિભગવન્તોને પિંડવિશુદ્ધિ ગુર્થી[ભારે, શ્રેષ્ઠ મહાન હોય છે. સામાન્ય રીતે બેતાળીશ દોષોથી રહિત જ આહાર-પાણી પ્રાપ્ત કરી સંયમજીવનનો નિર્વાહ કરવાનું ખૂબ જ કપરું છે. સંયમજીવનમાં આ