SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારની પરતત્ત્વની વિશેષતાઓ વર્ણવી છે. ૧૫-૧૫ા *** १९ २० પ્રરતત્ત્વનું જ સ્વરૂપ વર્ણવાય છે सर्वाबाधारहितं परमानन्दसुखसङ्गतमङ्गम् । निःशेषकलातीतं सदाशिवाद्यादिपदवाच्यम् ॥१५-१६॥ २३ - ૧૮ ૨૦ “સર્વપીડાઓથી રહિત; પરમાનંદસુખથી સગત; અસઙ્ગ; બધી કલાઓથી રહિત, સદાશિવ અને આદ્ય વગેરે પદોથી વર્ણવાતું પરતત્ત્વ છે.’-આ પ્રમાણે સોળમી ગાથાનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શરીર કે મન સંબંધી કોઈ પણ જાતની પીડાથી રહિત પરતત્ત્વ છે. પરમ આનંદ જ્યાં છે એવા સુખથી સદ્ગત પરતત્ત્વ છે. સર્વસાંસારિક સુખોથી શ્રેષ્ઠ સુખ પરંતત્ત્વમાં હોવાથી તે સુખ પરમાનંદથી યુક્ત છે. આથી મોક્ષમાં 'સુખદુઃખનો અભાવ છે-એવી માન્યતાનો વ્યવચ્છેદ થાય છે. ૧૯ ૪૨૧ પરતત્ત્વમાં સફ્ળ ન હોવાથી તે અસફ્ળ છે. ભય અને હર્ષના પ્રસંગે મતિનો વિકાર ન થાય. સુખમાં પણ અને દુઃખમાં પણ જે નિર્વિકારતા છે અને સ્તુતિમાં કે નિંદામાં જે તુલ્યસ્વભાવ છે, તેવી અવસ્થાને તત્ત્વના જાણકારો અસફ્ળતા કહે છે. આવી અસફ્ળતા પરતત્ત્વમાં છે. તથાભવ્યત્વ, અસિદ્ધત્વ, યોગસહરિત ક્ષાયિકભાવનું ચારિત્ર...વગેરે આત્મસ્વભાવભૂત અંશાત્મક કલાઓથી રહિત પરતત્ત્વ છે. કારણ કે નિર્વાણ સમયે તે કલાઓની નિવૃત્તિ થતી હોય છે. પરતત્ત્વ' ક્યારે પણ અશિવવાળું હોતું નથી, તેથી તે સદાશિવ
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy