SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ नित्यं प्रकृतिवियुक्तं लोकालोकावलोकनाभोगम् । स्तिमिततरङ्गोदधिसममवर्णमस्पर्शमगुरुलघु ॥१५-१.५।। “નિત્ય પ્રકૃતિ[કમથી વિયુક્ત, લોક અને અલોકના અવલોકનના ઉપયોગવાળું; નિસ્તરજ્ઞ સમુદ્રજવું, પાંચ પ્રકારના વર્ણથી રહિત; આઠ પ્રકારના સ્પર્શથી રહિત અને અગુરુલઘુ પરતત્ત્વ છે.-આ પ્રમાણે પંદરમી ગાથાનો અર્થ, છે. કહેવાનો આશય એ છે કે આ પરમતત્ત્વ નિત્યધ્રુિવ), અવિનાશી છે. પ્રકૃતિથી રહિત છે. સ્વદર્શનની પરિભાષા મુજબ મૂળ અને ઉત્તર ભેદવાળી જ્ઞાનાવરણીયાદિ કર્મ સ્વરૂપ પ્રકૃતિથી વિયુક્ત પરતત્ત્વ છે અને પરદર્શનની પરિભાષા મુજબ સત્વ, રજસ અને તમસની સામ્યવસ્થા સ્વરૂપ પ્રકૃતિથી વિયુક્ત પરતત્ત્વ છે અથવા સાંસારિક સર્વ જીવોની પ્રકૃતિથી વિયુક્ત પરતત્ત્વ છે. સાંસારિક સર્વજીવોના સ્વરૂપને પ્રકૃતિ કહેવાય છે. પરતત્ત્વ એનાથી વિયુક્ત હોય આગમપ્રસિદ્ધ લોક અને અલોકને જોવાનો ઉપયોગ જેનો છે એવું પરતત્ત્વ છે. તરક્શોથી રહિત એવા સમુદ્રની જેમ ઊછળતી વૃત્તિઓથી રહિત શાન્તક્ષીણ]વૃત્તિવાળું પરતત્ત્વ છે. પાણીથી ભરેલા એવા નહિ છલકાતા કળશના જેવા સ્વભાવવાળું એ પરતત્ત્વ છે. કાળો, નીલો, લાલ, પીળો અને ધોળો ઃ એ પાંચ વર્ણથી રહિત પરતત્ત્વ છે. કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, ઉષ્ણ, શીત, રુક્ષ અને સ્નિગ્ધ : એ આઠ પ્રકારના સ્પર્શથી રહિત પરતત્ત્વ છે. પરતત્ત્વ અમૂર્તદ્રવ્ય હોવાથી અગુરુલઘુપરિણામવાળું છે. આ રીતે આ ગાથાથી સાત
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy