________________
છે. આ રીતે આ ગાથાથી પરતત્ત્વની પાંચ પ્રકારની વિશેષતાઓ વર્ણવી છે. ૧૫-૧૩
પરતત્ત્વનું જ સ્વરૂપ જણાવાય છે – ज्योतिः परं परस्तात् तमसो यद्गीयते महामुनिभिः । आदित्यवर्णममलं ब्रह्माद्यैरक्षरं ब्रह्म ॥१५-१४॥
પ્રકૃષ્ટ પ્રકાશસ્વરૂપ અંધકારથી પરભાગમાં વર્તતું સૂર્ય જેવા વર્ણવાળું, મલરહિત અને અક્ષર એવું બ્રહ્માદિ મહામુનિઓ દ્વારા બ્રહ્મ તરીકે વર્ણવાતું પરમતત્ત્વ છે.”-આ પ્રમાણે ચૌદમી ગાથાનો અર્થ છે. ભાવાર્થ એ છે કે, પરમતત્ત્વ અનંતજ્ઞાનમય હોવાથી શ્રેષ્ઠ પ્રકાશસ્વરૂપ છે. દ્રવ્ય અને ભાવ ઃ એ ય અંધકારથી પરભાગમાં વર્તનારું પરતત્ત્વ છે અર્થાત્ ત્યાં દ્રવ્યઅંધકાર અને ભાવ-અંધકાર [અજ્ઞાન] નથી. સૂર્યના વર્ણ જેવું તે ભાસ્વર [નિર્મળ] છે. સૂર્યનું અહીં દૃષ્ટાંત માત્ર સમજવાનું છે. પરંતુ એના જેવું પૌદ્ગલિક સ્વરૂપ સમજવાનું નથી. આ પરમતત્ત્વ ક્ષય પામતું ન હોવાથી અક્ષર છે. પોતાના સ્વરૂપથી ક્યારે પણ
ચ્યવતું નથી. પરમતત્ત્વ સર્વવ્યાપક અને ગુણનું પોષક હોવાથી બ્રહ્મસ્વરૂપ છે-આ પ્રમાણે બ્રહ્મા વગેરે જ્ઞાનસંપન્ન મહાત્માઓ વર્ણવે છે. આ રીતે આ ગાથાથી પણ પરતત્ત્વની પાંચ વિશેષતાઓ વર્ણવી છે. ૧૫-૧૪
" પરતત્ત્વનું સ્વરૂપ વર્ણવાય છે –