________________
પરતત્ત્વ દેખાય છે. તે પરતત્ત્વ છે કે જેને જોઈને દર્શનની ઈચ્છા નિવૃત્ત થાય છે.” બારમી ગાથાના એ અર્થનો આશય સ્પષ્ટ છે. આ કેવલજ્ઞાન યોગનું ફળ છે, જે પરાપર સ્વરૂપ છે એટલે કે પરયોગ અને અપરયોગના ફલસ્વરૂપ છે. એનાથી બીજા કોઈના સ્વતંત્ર વ્યાપારનું એ ફળ નથી. આ કેવલજ્ઞાન વડે તે પરમાત્મસ્વરૂપ તત્ત્વ દેખાય છે કે જેને જોઈને દર્શનની ઈચ્છા નિવૃત્ત થાય છે. કારણ કે તેથી બધાનું . દર્શન થઈ જાય છે. ૧૫-૧રા
હવે ચાર ગાથાઓથી પરતત્ત્વનું સ્વરૂપ જણાવાય છેतनुकरणादिविरहितं तच्चाचिन्त्यगुणसमुदयं सूक्ष्मम् । त्रैलोक्यमस्तकस्थं निवृत्तजन्मादिसङ्क्लेशम् ॥१५-१३॥
“શરીર, ઈદ્રિયો અને મનથી રહિત, અચિંત્યગુણોના સમુદાયવાળું, સૂક્ષ્મ; ત્રણ લોકના અગ્રભાગે રહેલું [અને] જન્માદિસક્લેશથી રહિત એવું પરતત્ત્વ છે.” આ પ્રમાણે તેરમી ગાથાનો અર્થ છે. ભાવાર્થ સ્પષ્ટ છે કે શ્રી સિદ્ધપરમાત્માનું સ્વરૂપ; પરતત્ત્વ છે. શરીર, બાહ્યકરણસ્વરૂપ ઈદ્રિયો અને અંતઃકરણ સ્વરૂપ મનથી રહિત પરતત્ત્વ છે. અચિજ્ય એવા જ્ઞાનાદિ અનન્તાના ગુણોના સમુદાયથી યુક્ત તે છે. કેવલજ્ઞાન વિના જોઈ ના શકાય એવું અદૃશ્ય સ્વભાવવાળું હોવાથી પરતત્ત્વ સૂક્ષમ છે. ત્રણ લોકની (બધાની) ઉપર જે સિદ્ધક્ષેત્ર છે ત્યાં રહેલું આ પરંતત્ત્વ છે અને તેમાંથી જન્માદિસક્લેશો નિવૃત્ત થયેલા[ચાલ્યા ગયેલા