________________
છે. સૌથી પ્રથમ આ પરતત્ત્વ થયેલું હોવાથી અથવા પ્રધાનશ્રેષ્ઠ સુખાદિ ભાવોના પ્રવાહની અપેક્ષાએ આદિભાવે વ્યવસ્થિત હોવાથી તેને માઘ શબ્દથી વર્ણવાય છે. ગાથામાં રહેલા ગરિ પદથી નિરક્શન, નિરીર વગેરે પદોનો સંગ્રહ કરવો અર્થાત્ પરતત્ત્વ નિરઝન અને નિરાશા.. વગેરે શબ્દોથી વર્ણવાય છે... ઈત્યાદિ સમજી લેવું. આ રીતે આ ગાથામાં છ પ્રકારની પરતત્ત્વની વિશેષતાઓ વર્ણવી છે. છેલ્લી ચારે. ય ગાથાઓમાં વિશેષ્યસ્વરૂપે પરતત્ત્વનો સંબંધ છે, જે ઉપર કરીને દર્શાવ્યો છે. ૧૫-૧૬
તિ પ્રખ્યાં પોશ છે.
अथ षोडशं षोडशकं प्रारभ्यते । પૂર્વષોડશકમાં પરતત્ત્વનું અભિધાન કરીને હવે પરતત્ત્વના દર્શનથી જે થાય છે અર્થાત્ જે ફળ પ્રાપ્ત થાય છે તે જણાવાય છે –
एतद् दृष्ट्वा तत्त्वं परममनेनैव समरसापत्तिः । सञ्जायतेऽस्य परमा परमानन्द इति यामाहुः ॥१६-१॥
ગાથાર્થ સુગમ છે. આશય એ છે કે આ પરતત્ત્વને [પરમતત્ત્વને જોઈને, આ પરતત્ત્વની સાથે તેને જોનારા શ્રીકેવલજ્ઞાનીની સમરસાપત્તિ સિમતા-એકતા] થાય છે. એ પરમકોટિની સમતાપત્તિને પરમાનન્દ શબ્દથી વેદાન્તીઓ વર્ણવે છે. પરતત્ત્વને જોનારા શ્રી કેવલીભગવંતો પરતત્ત્વને પામે છે. દૃશ્ય અને દ્રષ્ટા બન્નેનું સ્વરૂપ એક થાય છે,