SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ છે. બીજું સ્વરૂપ ઉપલબ્ધ થતું નથી. તે પરતત્ત્વ જ પરમાત્મસ્વરૂપ પર બમ મનાય છે. કારણ કે એના સિવાય બીજું કોઈ બૃહત્તમ નથી. પર બર્મને છોડીને બીજા સંસારીઓનું સ્વરૂપ અપરબ્રહ્મ છે. આ પરતત્ત્વવિષયક જ્ઞાનવિશેષ સ્વરૂપ અનાલંબન યોગ કે જે લોક અને લોકોત્તર શાસનમાં સુંદર તરીકે સર્વ જગતમાં પ્રસિદ્ધ છે, તે પણ તેના પરતત્ત્વવિષયકત્વના સંબંધના કારણે છે. આથી આ પરતત્ત્વની પ્રશંસા થાય છે. ૧૫-૭. આ નિરાલંબનઅનાલમ્બન) યોગ ક્યો છે અને કેટલો કાળ એ હોય છે ? આ જિજ્ઞાસામાં જણાવાય છે– सामर्थ्ययोगतो या तत्र दिदृक्षेत्यसङ्गशक्त्याढ्या । सानालम्बनयोगः प्रोक्तस्तदर्शनं यावत् ॥१५-८॥ સામર્થ્યયોગના કારણે અસગશક્તિથી પરિપૂર્ણ એવી; પરતત્ત્વદર્શન થાય ત્યાં સુધી જે પરતત્ત્વ જોવાની ઈચ્છા છે તે અનાલંબનયોગ છે.” આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે-“શાસે જેનો ઉપાય બતાવ્યો છે અને શક્તિ-સામર્થ્યના ઉક[માત્રાતિશયથી વિશેષ રીતે શાસ્ત્રના વિષયથી જે અતિક્રાન્ત છે; તે આ સામર્થ્યનામનો ઉત્તમ યોગ છે.” આ પ્રમાણે જેનું સ્વરૂપ વર્ણવાયું છે તે સામર્થ્યયોગ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ક્ષપકશ્રેણીમાં બીજા અપૂર્વકરણ પ્રસંગે પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વખતે જે અપૂર્વકરણ હોય છે તે પ્રથમ અપૂર્વકરણ પ્રથમગુણસ્થાનકે
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy