________________
હોય છે અને દ્વિતીય અપૂર્વકરણ આઠમા ગુણસ્થાનકે હોય છે.
આ સામર્થ્યયોગના કારણે યોગીને સાક્ષાત્ પરતત્વ જોવાની જે ઈચ્છા થાય છે, તેને દિદુલા કહેવાય છે. કોઈ પણ પ્રકારના અભિધ્વજ્ઞ વગરની અને અનવરતપણે પ્રવર્તેલી એ ઈચ્છા અસગશક્તિથી આદ્ય-પરિપૂર્ણ હોય છે.
જ્યાં સુધી પરતત્ત્વનો સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી અર્થાત્ કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી તે દિÉક્ષા હોય છે. કેવલજ્ઞાનથી . પરતત્ત્વનું દર્શન થયે છતે પરંતત્ત્વના દર્શનના આલમ્બને. પ્રવર્તેલો અનાલમ્બનયોગ હોતો નથી. કારણ કે જેને જોવા માટે જે પ્રવર્તતો હોય તે તેના દર્શન પછી ન જ હોય-એ સ્પષ્ટ છે. આવી દિદક્ષાને અનાલમ્બનયોગ તેના જાણકારોએ કહ્યો છે. ૧૫-૮
પરતત્ત્વ જોવાની ઈચ્છાથી પ્રવર્તેલા અનાલમ્બનયોગમાં પરતત્ત્વનું આલંબન હોવા છતાં તેને અનાલંબન કેમ કહેવાય છે : તે જણાવાય છે અર્થાત્ આ અનાલમ્બનયોગમાં અનાલમ્બનત્વ કઈ રીતે સદ્ગત થાય છે : આવી શક્કાના સમાધાન માટે જણાવાય છે – '
तत्राऽप्रतिष्ठितोऽयं यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र । सर्वोत्तमानुजः खलु तेनानालम्बनो गीतः ॥१५-९॥
પરતત્ત્વમાં આ[અનાલમ્બન) યોગ પ્રતિષ્ઠિત થયો નથી. પરંતુ વાસ્તવિક રીતે પરતત્ત્વના વિષયમાં તે પ્રવર્તેલો છે. સર્વોત્તમયોગની પૂર્વે પ્રવર્તેલો આ યોગ છે. તે કારણે તેને