SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ પરતત્ત્વની આટલી પ્રશંસાસ્તવના કેમ કરાય છે ? આ શંકાના સમાધાન માટે જણાવાય છે – तस्मिन् दृष्टे दृष्टं तद्भूतं तत्परं मतं ब्रह्म । तद्योगादस्यापि ह्येषा त्रैलोक्यसुन्दरता ॥१५-७॥ તે પરતત્ત્વ જોયું તો બધું જ જોયું છે. તે જ સિદ્ધસ્વરૂપ સત્ય પ્રકૃષ્ટ બ્રહ્મતત્ત્વ સ્વરૂપ મનાયું છે. પરતત્ત્વના યોગે આ અનાલંબન યોગની ત્રણ લોકમાં સુંદરતા મનાય છે.”. આ પ્રમાણે સાતમી ગાથાનો અર્થ છે. એનો આશય એ છે કે; એ પરતત્ત્વ[સકલકર્મથી સર્વથા રહિત આત્મતત્ત્વ]નું દર્શન થયે છતે બધી જ વસ્તુઓનું દર્શન થઈ જાય છે. કારણ કે જીવાદિ અમૂર્ત વસ્તુઓનો જે બોધ છે તે સર્વવસ્તુવિષયક જ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પરતત્ત્વ અમૂર્ત છે. કેવલજ્ઞાનથી જ તે જણાય છે. જીવાદિ અમૂર્ત વસ્તુવિષયક બોધ કેવલજ્ઞાન સ્વરૂપ છે અને તે કેવલજ્ઞાનથી સર્વ વસ્તુઓનો બોધ થવાથી સર્વવસ્તુવિષયક છે. તેથી પરતત્ત્વનું દર્શન થયે છતે પરાપર સર્વ વસ્તુઓનું દર્શન થઈ જ જાય છે : એ સમજી શકાય છે. તે પરતત્ત્વ તભૂત એટલે કે સિદ્ધસ્વરૂપ સત્ય છે. સંસારી જીવનું સ્વરૂપ જ્ઞાનાવરણીયાદિ કર્મથી આવૃત હોવાથી તે સભૂતતત્ત્વ નથી. કર્મથી મલિન આત્માનું સિદ્ધસ્વરૂપ વાસ્તવિક તત્ત્વ જણાતું નથી. કારણ કે કર્મવિકારથી તે આચ્છાદિત હોવાથી તેના તત્ત્વદર્શનમાં વિકારો અવરોધ કરે છે. સિદ્ધાવસ્થામાં તો તે તત્ત્વ; ઉપદ્રવથી[કર્મોપદ્રવથી] રહિત હોવાથી સિદ્ધસ્વરૂપ સત્યરૂપ જ સર્વદા ઉપલબ્ધ બને
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy