________________
છે. આ રીતે પાપઘાતિકર્મ ક્ષીણ થવાથી આત્મા મોક્ષની નિકટસિમીપ જાય છે. શુક્લમાર્થાનુસારી)જ્ઞાનના ઉપયોગવાળો આત્મા બને છે. જે મોક્ષની નજીક હોય તે માનુસારી હોય તે સમજી શકાય છે અને તેથી ક્રમે કરી આત્મા મોહથી રહિત બને ? એ પણ સ્પષ્ટ છે. આ ચાર, પ્રકારનાં ફળ જ્યાં ન હોય ત્યાં વાસ્તવિક ધ્યાન હોય નહિ. ધ્યાનના અર્થીઓએ ક્ષણપાપતા, નિર્વાણપદાસન્નતા, શુક્લાભોગ અને મોહનો અભાવ : આ ચારની અર્થિતા પોતામાં છે કે નહિ તેનો વિચાર કરવો જોઈએ. કારણ કે એની પ્રાપ્તિ માટે ધ્યાન વિહિત છે. એનું અર્થીપણું ન હોય તો ધ્યાન કરવાનું કોઈ પ્રયોજન નથી. ૧૫-પા .
ધ્યાનનું ફલવિશેષ જ જણાવાય છે – चरमावञ्चकयोगात् प्रातिभसञ्जाततत्त्वसंदृष्टिः । इदमपरं तत्त्वं तद् यद्वशतस्त्वस्त्यतोऽप्यन्यत् ॥१५-६॥
સાલંબનધ્યાન ઉપર જણાવ્યા મુજબ પરિણત થયે છતે ચરમ અવંચક[ફલાવંચકયોગથી આત્મા પ્રાતિભતત્ત્વદૃષ્ટિવાળો થાય છે. પ્રત્યક્ષભૂત આ તે અપરતત્ત્વ છે કે જેના યોગે અન્ય પરતત્ત્વ પણ પ્રત્યક્ષ થાય છે.” - આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે સાલંબનધ્યાન આત્મસાતુ થયે છતે પૂર્વે જણાવેલા છેલ્લા ફલાવચ્ચક નામના યોગના સામર્થ્યથી જિાઓ ષોડશક નં. ૮માની ૧૩મી ગાથા ધ્યાતા