SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ સિંહાસન ઉપર બિરાજમાન. ૮. ત્રણ છત્રથી યુક્ત. ૯. અશોકવૃક્ષની નીચે બિરાજમાન. ૧૦. દેશના દ્વારા સર્વના હિતમાં પ્રવૃત્ત. ૧૧. અત્યંત રમણીય. ૧૨. પરમ ઔષધ. ૧૩. અવ્યાઘાત. ૧૪. સર્વસંપત્તિનું બીજ. ૧૫. ચક્રાદિ લક્ષણોથી યુક્ત. ૧૬. સર્વશ્રેષ્ઠ પુણ્યથી નિર્મિત. ૧૭. મોક્ષપ્રાપક. ૧૮. ભવ્યોમાં પ્રધાન. ૧૯. અસાધારણ પ્રભાવવનું, ૨૦. સુરસિદ્ધયોગી જનોને વંદનીય. ૨૧. વરેણ્ય શબ્દોથી વર્ણનીય. આવું અલૌકિક પરમાત્માનું સ્વરૂપ ધ્યેય છે. ૧૫-૪॥ *** આ રીતે પ્રથમ સાલંબનધ્યાનનું વર્ણન કરીને તેના ફળનું વર્ણન કરવાની ઈચ્છાથી જણાવાય છે परिणत एतस्मिन् सति सद्ध्याने क्षीणकिल्बिषो जीवः । निर्वाणपदासन्नः शुक्लाभोगो विगतमोहः ॥१५- ५॥ - “આ સધ્યાન પરિણત થયે છતે જીવના પાપ ક્ષીણ થાય છે, મોક્ષની નજીક જાય છે, જ્ઞાનના ઉપયોગવાળો તે બને છે અને મોહથી રહિત થાય,છે.”- આ પ્રમાણે પાંચમી ગાથાનો અર્થ છે. એનો આશય એ છે કે આ રીતે શુભ ધ્યાન આત્મસાત્ થયે છતે ધ્યાનના ફળસ્વરૂપે આત્માને ચાર વસ્તુની પ્રાપ્તિ થાય છે. આત્માનાં પાપો ક્ષય પામતાં હોવાથી ‘ક્ષીણપાપ’ આત્મા બને છે. ધર્મમાત્રનું વાસ્તવિક જ એ ફળ છે. તો વિશિષ્ટ યોગ હોવાથી તેનું એ ફળ હોય-એ સમજી શકાય ધ્યાન ४०७
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy