________________
પરિશ્રમ વિના પ્રવર્તેલું એવું, ધર્મકથાના કારણે અત્યન્ત રમણીય પરમાત્માનું સ્વરૂપ ધ્યેય છે. ૧૫-રા
ધ્યેયભૂત પરમાત્માનું સ્વરૂપ કેવું હોય છે તે જ જણાવાય છે –
आधीनां परमौषधमव्याहतमखिलसम्पदां बीजम् । चक्रादिलक्षणयुतं सर्वोत्तमपुण्यनिर्माणम् ॥१५-३॥
“આધિ(પીડા)ઓનું પરમ ઔષધ; અવ્યાહત, અખિલસંપત્તિઓનું બીજ, ચક્ર વગેરે લક્ષણોથી યુક્ત અને સર્વોત્તમ પુણ્યથી નિર્માણ થયેલું શ્રી તીર્થંકર પરમાત્માનું સ્વરૂપ હોય છે” –આ પ્રમાણે ત્રીજી ગાથાનો અર્થ છે. એનું તાત્પર્ય ખૂબ જ સ્પષ્ટ છે. શરીર અને મન સમ્બન્ધી પીડા- વિશેષને આધિ કહેવાય છે. તેને દૂર કરતું હોવાથી પરમાત્માનું સ્વરૂપ આધિઓના પરમ ઔષધ જેવું છે. કોઈ પણ સ્થાને તે આઘાત પામતું ન હોવાથી અવ્યાહત છે. સર્વ સમ્પત્તિઓને પ્રાપ્ત કરવા માટે મૂળભૂત કારણ હોવાથી તેના બીજ સ્વરૂપ છે. - ચક્ર, સ્વસ્તિક, કમળ અને વેજ વગેરે લક્ષણોથી યુક્ત પરમાત્માનું સ્વરૂપ છે અને સર્વોત્કૃષ્ટ શ્રીતીર્થકર નામકર્માદિ સ્વરૂપ જે પુણ્ય છે તેનાથી તે નિર્મિત છે. જેનાથી નિર્માણ કરાય છે; તેને નિર્માણ કહેવાય છે. તેથી અહીં પુણ્ય નિર્માણ છે. સર્વશ્રેષ્ઠ અદૃષ્ટ[પુણ્ય)થી ખેંચાયેલા પરમાણુઓથી નિર્મિત પરમાત્માનું સ્વરૂપ છે. ૧૫-૩ો.