SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ સન્દોહવાળું, ઋદ્ધિઓથી યુક્ત અને સભામાં દેશના આપતું શ્રી જિનેશ્વરદેવનું સ્વરૂપ ધ્યાન કરવા માટે યોગ્ય છે અને ત્યાર પછીનું પરમતત્ત્વસ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ ધ્યાન કરવા માટે યોગ્ય ધ્યેય છે.” આ પ્રમાણે પહેલી ગાથાનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વષોડશકમાં યોગના પ્રકારો, યોગીઓનું ચિત્ત અને ધ્યાન વગેરેનું વર્ણન કર્યું છે. હવે ધ્યાનના વિષય-ધ્યેયનું અહીં વર્ણન કરાય છે. - આમ તો ચૌદમા ષોડશકની પહેલી ગાથાથી દેવાધિદેવ શ્રીતીર્થંકર પરમાત્માનું ધ્યાન કરવાનું જણાવ્યું છે જ. પરમાત્માનું એ સ્વરૂપ કેવા પ્રકારનું છે : આવી જિજ્ઞાસામાં ધ્યેયરૂપે પરમાત્માનું સ્વરૂપ વર્ણવાય છે. પહેલી ચાર ગાથાઓથી એકવીસ વિશેષણોથી વિશિષ્ટ એવું ધ્યેયભૂત-પરમાત્માનું સ્વરૂપ-વર્ણવાયું છે. વિશ્વના સકલ જીવોને ઉપદેશાદિ દ્વારા હિતને કરનારું; શરીરનું સંસ્થાન(આકૃતિ) અને સૌન્દર્ય વગેરે ગુણોના કારણે જેને કોઈ ઉપમા નથી તેવું અનુપમ; અતિશયોને પૂર્ણ કરનારું અથવા અતિશયોના સમુદાયવાળું; આમર્ષાદિ અનેક પ્રકારની લબ્ધિઓ સ્વરૂપ ઋધિઓથી યુક્ત અને બધા જીવોને પોતપોતાની ભાષામાં પરિણામ પામવાવાળી વાણી વડે બાર પ્રકારની પર્ષદામાં દેશનાને આપનારું તેમ જ આ બધાની પછી પ્રગટ થવાવાળું, મુક્તિમાં પ્રાપ્ત થનારું ધર્મકાયાવસ્થા પછી પ્રાપ્ત થવાવાળું, તત્ત્વકાયાવસ્થાના સ્વભાવવાળું જે પરતત્ત્વ સ્વરૂપ શ્રી તીર્થંકરપરમાત્માનું સ્વરૂપ છે, તે ધ્યેય છે. શ્રી તીર્થંકરપરમાત્માની દીક્ષા પછીની કેવલજ્ઞાન સુધીની
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy