________________
સન્દોહવાળું, ઋદ્ધિઓથી યુક્ત અને સભામાં દેશના આપતું શ્રી જિનેશ્વરદેવનું સ્વરૂપ ધ્યાન કરવા માટે યોગ્ય છે અને ત્યાર પછીનું પરમતત્ત્વસ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ ધ્યાન કરવા માટે યોગ્ય ધ્યેય છે.” આ પ્રમાણે પહેલી ગાથાનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વષોડશકમાં યોગના પ્રકારો, યોગીઓનું ચિત્ત અને ધ્યાન વગેરેનું વર્ણન કર્યું છે. હવે ધ્યાનના વિષય-ધ્યેયનું અહીં વર્ણન કરાય છે. - આમ તો ચૌદમા ષોડશકની પહેલી ગાથાથી દેવાધિદેવ શ્રીતીર્થંકર પરમાત્માનું ધ્યાન કરવાનું જણાવ્યું છે જ. પરમાત્માનું એ સ્વરૂપ કેવા પ્રકારનું છે : આવી જિજ્ઞાસામાં ધ્યેયરૂપે પરમાત્માનું સ્વરૂપ વર્ણવાય છે. પહેલી ચાર ગાથાઓથી એકવીસ વિશેષણોથી વિશિષ્ટ એવું ધ્યેયભૂત-પરમાત્માનું સ્વરૂપ-વર્ણવાયું છે.
વિશ્વના સકલ જીવોને ઉપદેશાદિ દ્વારા હિતને કરનારું; શરીરનું સંસ્થાન(આકૃતિ) અને સૌન્દર્ય વગેરે ગુણોના કારણે જેને કોઈ ઉપમા નથી તેવું અનુપમ; અતિશયોને પૂર્ણ કરનારું અથવા અતિશયોના સમુદાયવાળું; આમર્ષાદિ અનેક પ્રકારની લબ્ધિઓ સ્વરૂપ ઋધિઓથી યુક્ત અને બધા જીવોને પોતપોતાની ભાષામાં પરિણામ પામવાવાળી વાણી વડે બાર પ્રકારની પર્ષદામાં દેશનાને આપનારું તેમ જ આ બધાની પછી પ્રગટ થવાવાળું, મુક્તિમાં પ્રાપ્ત થનારું ધર્મકાયાવસ્થા પછી પ્રાપ્ત થવાવાળું, તત્ત્વકાયાવસ્થાના સ્વભાવવાળું જે પરતત્ત્વ સ્વરૂપ શ્રી તીર્થંકરપરમાત્માનું સ્વરૂપ છે, તે ધ્યેય છે. શ્રી તીર્થંકરપરમાત્માની દીક્ષા પછીની કેવલજ્ઞાન સુધીની