SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ દરેક યોગીઓને હોતું નથી; પરન્તુ બહુલતયા પ્રવૃત્તચક્રયોગીઓને હોય છે. રાત અને દિવસ પ્રવર્તતા અનુષ્ઠાનના સમુદાયવાળા આત્માને પ્રવૃત્તચક્રયોગી કહેવાય છે. ખેદાદિ આઠ દોષોના પરિહારથી કરવા યોગ્ય એવું પ્રશસ્ત ધ્યાન પણ આવા જ યોગી જનોને હોય છે. કારણ કે તેઓને આવો ધ્યાનનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. આથી તેમના દ્વારા કરાતું ધ્યાન અધિકૃત અને પ્રશસ્ત મનાય છે – આ પ્રમાણે યોગના જ્ઞાતા આચાર્યભગવન્તો કહે છે. ગોત્રયોગી, કુલયોગી, પ્રવૃત્તચયોગી અને નિષ્પનયોગીઃ આ ચાર પ્રકારના યોગીઓ છે. યોગીઓના કુળમાં જેઓ જન્મ્યા છે પરંતુ તેમના આચારને પાળતા નથી તેમને ગોત્રયોગી કહેવાય છે. જેઓ , યોગીઓના કુળમાં જન્મ્યા છે અને તેમના આચારને પાળે છે તેમને કુલયોગી કહેવાય છે. જેઓ યોગીઓના કુળમાં જન્મ્યા નથી અને તેમના આચારને પાળે છે તેમને પ્રવૃત્તચક્રયોગી કહેવાય છે. તેમ જ યોગની સિદ્ધિ જેમને થયેલી છે; તેમને નિષ્પનયોગી કહેવાય છે. ll૧૪-૧૪ આ રીતે અયોગી જનોને ઉચિત એવા ખેદાદિ આઠ દોષોથી રહિત બનીને ધ્યાન ધરવું જોઈએ, તે જણાવીને હવે દેશાદિને આશ્રયીને ધ્યાન કઈ રીતે કરવું તે જણાવાય છે शुद्धे विविक्तदेशे सम्यक्संयमितकाययोगस्य । कायोत्सर्गेण दृढं यद्वा पर्यङ्कबन्धेन ॥१४-१५॥ . “પવિત્ર અને લોકોની જ્યાં અવર-જવર નથી એવા એકાત્ત સ્થાનમાં સારી રીતે શરીરને સંયમિત કરીને
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy