________________
ગાથાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે બારમી ગાથામાં વર્ણવ્યા મુજબનું યોગીઓનું ચિત્ત સક્લેશથી રહિત હોય છે. તેમ જ સુંદર કોટિના સ્વપ્નના દર્શનમાં પ્રવર્તતું હોય છે. સામાન્ય રીતે સફેદ સુગન્ધી પુષ્પ, વસ્ત્ર, છત્ર અને ચામરાદિનું સ્વપ્નમાં(નિદ્રાવસ્થામાં દર્શન થાય તો તેને સુસ્વપ્ન કહેવાય છે. યોગી જનોનું ચિત્ત અત્યન્ત ઉલ્લાસ પામતા(પ્રતિદિન વધતા અને વિશુદ્ધ થતા) ગુણોના સમુદાયના પ્રવાહવાળું હોય છે તેમ જ શુભના ઉદયવાળું એવું એ ચિત્ત કલ્પવૃક્ષના બીજ સમાન હોય છે. ઈષ્ટ-પરમપદસ્વરૂપ ફળને આપનાર ધર્મસ્વરૂપ કલ્પવૃક્ષનું કારણભૂત ચિત્ત યોગીઓને જ પ્રાપ્ત થતું હોય છે. ૧૪-૧૩ -
શાન્ત-ઉદાત્તાદિભાવો વગેરેથી યુક્ત ચિત્ત જે યોગીઓને હોય છે તે યોગીઓનું સ્વરૂપ જણાવાય છે અર્થાત્ જે યોગીવિશેષને એ ચિત્ત હોય છે તે યોગીઓનું સ્વરૂપ વર્ણવાય છે–
एवंविधमिह चित्तं भवति प्रायः प्रवृत्तचक्रस्य । ध्यानमपि शस्तमस्य त्वधिकृतमित्याहुराचार्याः ॥१४-१४॥
શાત્ત અને ઉદાત્ત વગેરે ભાવોથી યુક્ત તેમ જ દોષમુક્ત ઈત્યાદિ પૂર્વે વર્ણવેલા સ્વરૂપવાળું ચિત્ત પ્રાયઃ પ્રવૃત્તચક્ર યોગીઓને હોય છે. તેથી પૂર્વે વર્ણવેલું ધ્યાન પણ પ્રશસ્તસ્વરૂપે અધિકૃત રીતે તેમને જ હોય છે એમ આચાર્યભગવન્તો કહે છે.” - આ પ્રમાણે ચૌદમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે બારમી અને તેરમી ગાથાથી યોગીઓના ચિત્તનું વર્ણન કર્યું છે. એવું ચિત્ત