________________
દૃષ્ટાન્તથી તે ગુણસ્થાનકે (૬-૭મા ગુણસ્થાનકે) જ મુમુક્ષુને સ્થિર રાખે છે. તેનાથી આગળના (૮મા વગેરે) ગુણસ્થાનકે પહોંચાડતું નથી. આથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે મોહનો વિનાશ કરી શ્રી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરાવવા માટે આસફ્ળયુક્ત અનુષ્ઠાન સમર્થ બનતું નથી. તેથી શ્રીકેવળજ્ઞાનના અર્થી આત્માઓએ આસફ્ળદોષને બરાબર સમજી લેવો જોઈએ. અનુષ્ઠાન પ્રત્યેના રાગના કારણે મુમુક્ષુ આત્માને એ અનુષ્ઠાનને છોડીને બીજા અનુષ્ઠાન પ્રત્યે જોઈએ તેવું બહુમાન રહેતું ન હોવાથી ઈષ્ટ ફળની પ્રાપ્તિ થતી નથી. તેથી અનુષ્ઠાન પ્રત્યે રાગ રાખ્યા વિના માત્ર શ્રીતીર્થંકરપરમાત્માનાં પરમતારક વચનનો વિચાર કરી મુમુક્ષુ આત્માઓએ તે તે કાળે વિહિત તે તે અનુષ્ઠાન પ્રત્યે રુચિ કેળવવી જોઈએ. |૧૪-૧૧||
***
આ પ્રમાણે આઠ પ્રકારના ચિત્તદોષોનો ત્યાગ કરવાથી યોગીજનોના ચિત્તનું જે સ્વરૂપ થાય છે; તે જણાવાય છે
एतद्दोषविमुक्तं शान्तोदात्तादिभावसंयुक्तम् ।
सततं परार्थनियतं सङ्क्लेशविवर्जितं चैव ॥१४- १२॥
“આ આઠ દોષથી વિમુક્ત યોગીઓનું ચિત્ત; શાન્ત અને ઉદાત્તાદિભાવોથી યુક્ત, સતત પરાર્થમાં તત્પર તેમ જ સફ્લેશથી રહિત હોય છે.' - આ પ્રમાણે બારમી ગાથાનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ પૂર્વે વર્ણવેલા ખેદાદિ આ દોષોથી મુક્ત યોગીજનોનું ચિત્ત હોય છે. તેથી તે શાન્ત
૩૯૭