________________
‘આસગ’ દોષનું નિરૂપણ કરાય છે – आसङ्गेऽप्यविधानादसङ्गसक्त्युचितमित्यफलमेतत् ।. भवतीष्टफलदमुच्चैस्तदप्यसङ्गं यतः परमम् ॥१४- ११॥ ‘આસગ' દોષ હોતે છતે પણ અનુષ્ઠાનનું કોઈ જ ફળ નથી. કારણ કે એવું દોષયુક્ત અનુષ્ઠાન કરવાનું શાસ્ત્રવિહિત નથી. શાસ્ત્રવિહિત અનુષ્ઠાન સફ્ળ વિના નિરાર કરવા યોગ્ય છે. તેથી આ આસગદોષથી યુક્ત અનુષ્ઠાન નિષ્ફળ છે. શાસ્ત્રવિહિત પણ અનુષ્ઠાન અસફ્ળસ્વરૂપ પરમકોટિનું હોય તો ઈષ્ટ ફળને સારી રીતે આપનારું છે.” આ પ્રમાણે અગિયારમી ગાથાનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે જે અનુષ્ઠાન કરાય છે; તે અનુષ્ઠાન જ સારું છે-આવી જાતનો જે ચિત્તની પરિણામ છે. તેને આસફ્ળ નામનો ચિત્તનો દોષ કહેવાય છે. તે દોષ હોય ત્યારે જે અનુષ્ઠાન કરાય છે તેનું; તે રીતે કરવાનું શાસ્ત્રમાં વિહિત ન હોવાથી ફળ મળતું નથી. અનુષ્ઠાનની સતત પ્રવૃત્તિ સ્વરૂપ સંક્તિ અભિગ(રાગ)નાં અભાવવાળી હોવી જોઈએ, તેને ઉચિત અનુષ્ઠાન હોય છે. તેથી આસગ દોષ હોતે છતે અનુષ્ઠાન અફળ-નિષ્ફળ બને છે. શાસ્ત્રવિધિ અનાસગભાવની મુખ્યતાએ પ્રવર્તે છે. તેના અભાવે અનુષ્ઠાનનું ફળ ન જ મળે એ સમજી શકાય છે. શાસ્ત્રમાં જણાવેલું અનુષ્ઠાન આસઙ્ગ(આ જ સુંદર છે - એવો અભિગ)રહિત હોય તો જ તે પરમકોટિનું બને છે. જેથી એ અનુષ્ઠાન ઈષ્ટ-મોક્ષફળને સારી રીતે આપે છે. આસગદોષવાળું અનુષ્ઠાન શ્રી ગૌતમસ્વામીજીની ગુરુભક્તિના
૩૯૦