________________
કે યોગની સાધનામાં આ પ્રણિધાન ફળના અસાધારણ કારણ તરીકે વિવક્ષિત છે. અનાજની પ્રાપ્તિ કરવા માટેના ખેતી કરવા સ્વરૂપ કાર્યમાં જેમ પાણી ખૂબ જ મહત્ત્વનું કારણ મનાય છે તેમ યોગમાં પ્રણિધાન વિવક્ષિત છે. કૃષિ ખેતી કર્મમાં પાણીની અનિવાર્યતા આપણે સૌ સમજી શકીએ છીએ. એ જ રીતે યોગમાં પ્રણિધાનની અનિવાર્યતા સમજી શકીએ તો “ખેદ' દોષની ભયંકરતા સમજાવવાની આવશ્યકતા નહિ રહે. મોક્ષસાધક યોગના પ્રારંભે જ ખેદદોષ યોગની સાધનાને છિન્ન-ભિન્ન કરી નાંખે છે. મુમુક્ષુઓએ યોગના પ્રારંભે ખેદની ભયંકરતા સમજી લેવી જોઈએ. ll૧૪-જા
ઉદ્વેગ નામના બીજા દોષનું વર્ણન કરાય છે – उद्वेगे विद्वेषाद् विष्टिसमं करणमस्य पापेन । .. योगिकुलजन्मबाधकमलमेतद् तद्विदामिष्टम् ॥१४-५॥
“ઉગ નામનો દોષ હોતે છતે વિશ્લેષના કારણે યોગની પ્રવૃત્તિ વેઠ ઉતારવા જેવી થાય છે. તેથી એ પાપ વડે યોગીઓના કુળમાં થનાર જન્મનો બાધ થાય છે. યોગના જાણકારો એ સારી રીતે માને[જાણે છે.” આ પ્રમાણે પાંચમી ગાથાનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ખેદ ન હોવાના કારણે યોગની ક્રિયા ચાલુ હોય તો પણ તેની પ્રત્યેના વિદ્વેષના કારણે તે ક્રિયા વેઠ ઉતારવા જેવી થાય છે. રાજાનું કામ કરવાની ઈચ્છા ન હોવાથી; રાજાની આજ્ઞાથી એ કામ કરતી વખતે જેમ વેઠ ઉતારાય છે તેમ ઉદ્વેગનામના આ દોષના કારણે, યોગની ક્રિયા પણ વેઠ ઉતારવા જેવી થતી