SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણવાશે. ૧૪-૩ *** ખેદાદિ દોષોનું; તેના ફળના વર્ણન દ્વારા વર્ણન કરાય खेदे दायभावान्न प्रणिधानमिह सुन्दरं भवति । एतच्चेह प्रवरं कृषिकर्मणि सलिलवज्ज्ञेयम् ॥ १४-४॥ “આ યોગના વિષયમાં ખેદ નામનો દોષ હોય તો દૃઢતાનો અભાવ થવાથી મન, વચન અને કાયાની એકાગ્રતા [પ્રણિધાન] સુંદર રીતે થતી નથી. ખેતીમાં પાણીનું જેટલું મહત્ત્વ છે; એટલું યોગમાં પ્રણિધાનનું મહત્ત્વ જાણવું.’-આ પ્રમાણે ચોથી ગાથાનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે યોગની સાધનામાં શરૂઆતથી જ ખેદ હોય તો દૃઢતા નહિ જ આવે. જે કાર્યની શરૂઆત કરી છે, ત્યારથી આરંભીને તે પૂર્ણ થાય ત્યાં સુધી જે સ્થિરતા અપેક્ષિત છે તેને દૃઢતા કહેવાય છે. ખેદનાં કારણે આવી દૃઢતા શક્ય નથી બનતી. ખેદના કારણે ‘ક્યારે છુટું' એવો જ ભાવ આવતો હોય છે. સ્થિર થવાનો વિચાર પણ આવતો નથી. આરંભેલા કાર્યમાં મન-વચન-કાયાને સ્થિર કરવા માટે પ્રયત્ન કરવાના બદલે એ કાર્યમાંથી પડતું મૂકવા માટેના ઉપાયોમાં જ મન-વચનકાયાની પ્રવૃત્તિ ચાલતી હોય છે. તેથી ખેદના કારણે દૃઢતા તો આવતી નથી અને તેના કારણે પ્રણિધાન પણ સુંદર બનતું નથી. પ્રણિધાન સુંદર બને નહિ તોપણ યોગની ક્રિયા તો ચાલતી જ હોય છે-એ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ ૩૮૫
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy