________________
કષ્ટસાધ્ય છે-આવા જ્ઞાનથી ઉત્પન્ન થયેલા આળસને ઉગ કહેવાય છે, જેને લઈને શરીરનો શ્રમ ન હોય તોય સ્થાને બેઠા હોય તોપણ ક્રિયા કરવાનો ઉત્સાહ થતો નથી, કદાચ કરે તો પણ આનંદ આવતો નથી. '
જે ક્રિયા કરતા હોઈએ તેમાં વચ્ચે વચ્ચે બીજે ચિત્ત જોડવું તેને ક્ષેપ કહેવાય છે. આ એક પ્રકારની ચિત્તની ચંચળતા છે. જે કામ આપણે કરતા હોઈએ; તેનાથી બીજા કામમાં જોડેલા ચિત્ત જેવું ચિત્ત, કરાતા તે કામમાં હોય છે ત્યારે તે ક્ષેપદોષથી દુષ્ટ ચિત્ત હોય છે.
ચિત્તની અપ્રશાન્તવાહિતાને ઉત્થાન કહેવાય છે. મનવચન-કાયાની; કામાદિ દોષોની ઉક્તિ અવસ્થાના કારણે જે ઉદ્દેકાવસ્થા છે તેને ઉત્થાન કહેવાય છે. મદથી અવષ્ટબ્ધ પુરુષની અવસ્થા જેવું આ ઉત્થાનદોષવાળું ચિત્ત હોય છે.
છીપમાં રજતના ગ્રહની જેમ; જે વસ્તુ જેવી નથી તે વસ્તુમાં તેવો જે ગ્રહ[જ્ઞાન છે, તેને ભ્રમ કહેવાય છે. બ્રાન્તિભ્રમ ભ્રમાત્મક મિથ્યાજ્ઞાન સ્વરૂપ છે.
આરંભેલા કાર્યને છોડીને બીજા કાર્યમાં જે પ્રીતિ હિષ છે તેને અન્યમુદ્ નામનો દોષ કહેવાય છે.
ગુદોષ રોગસ્વરૂપ છે, જે અનુષ્ઠાનની પીડા અથવા તેના ભંગ સ્વરૂપ છે. અને આરંભેલા અનુષ્ઠાનમાં, વિહિત એવાં બીજાં અનુષ્ઠાન કરતાં અતિશય પ્રીતિને આસદ્ગ કહેવાય છે. અત્યન્ત અભિપ્નગ સ્વરૂપ આ દોષ છે. આ આઠ દોષથી યુક્ત જે ચિત્ત છે તે બધાં ચિત્તનો પરિહાર બુદ્ધિમાને કરવો જોઈએ. ખેદાદિ દોષનું સામાન્ય સ્વરૂપ જ અહીં વર્ણવ્યું છે. હવે વિશેષ સ્વરૂપ આગળની ગાથાઓથી