________________
હોવાથી તે નિશ્ચયનયની અપેક્ષાએ ભંગસ્વરૂપ છે. વ્યવહારનયની અપેક્ષાએ સાપેક્ષ પ્રવૃત્તિ સ્વીકારાય છે અને તેમાં અતિચારાદિ મનાય પણ છે. પરંતુ નિશ્ચયનયની અપેક્ષાએ તો નિરપેક્ષ પ્રવૃત્તિ જ આત્મપરિણતિસ્વરૂપ મનાય છે અને તેમાં જે દોષ લાગે છે, તે ભંગસ્વરૂપ જ મનાય છે, અતિચારસ્વરૂપ નહિ.ઈત્યાદિ બરાબર સમજવું. /૧૪-રા
ધ્યાનના વિષયમાં ત્યજવાયોગ્ય જે આઠ ચિત્ત છે તે ચિત્તો જ જણાવાય છે –
खेदोद्वेगक्षेपोत्थान - भ्रान्त्यन्यमुद्रुगासङ्गः । युक्तानि हि चित्तानि प्रबन्धतो वर्जयेन्मतिमान् ॥१४-३॥
“ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, બ્રાન્તિ, અન્યમુદ્ર, રુગુ અને આસગથી યુક્ત એવાં ચિત્તોને પ્રવાહથી સિતત ન રહે તે રીતે બુદ્ધિમાને વર્જવા જોઈએ.”-આ પ્રમાણે ત્રીજી ગાથાનો અર્થ છે. આશય એ છે કે, માર્ગમાં મુસાફર જેમ થાકી જાય છે અને આગળ ચાલવાનું બંધ કરે છે, તેમ ક્રિયાની પ્રવૃત્તિના અભાવમાં કારણભૂત જે પ્રાન્તતા [શ્રમ) છે; તેને ખેદ કહેવાય છે. પૂર્વક્રિયાની પ્રવૃત્તિના કારણે ઉત્પન્ન થયેલ અને ઉત્તરક્રિયાની પ્રવૃત્તિની પ્રત્યે પ્રતિબંધક દુઃખ સ્વરૂપ ખેદ છે.
ખેદ નહિ હોવા છતાં સ્થાને બેઠા જ ઉદ્વેગ આવે છે. કદાચ કોઈ ક્રિયા કરે તો પણ તેમાં ઉગ જ હોય છે. સુખ મળતું નથી. મજા આવતી નથી. જે ક્રિયા કરવાની છે, તે