________________
તેમના સંપર્ક-પરિચયના કારણે આત્મા, પૂ. ગુરુદેવની પ્રત્યે વિનયવંત બને અને તેઓશ્રીના પરિચય માટે વિનય કરે-એ સ્પષ્ટ છે.
"સર્વદા સર્વ જીવોને પોતાની તરફ ખેંચવા વગેરેના સ્વભાવવાળું મૃત્યુ છે તેમ જ રાજાઓ, ચંદ્ર, ઈંદ્ર, સૂર્ય, તિર્યગ્યો, નારકીઓ, મનુષ્યો, દેવતાઓ, મુનીન્દ્રો, વિદ્યાધરો અને કિન્નરો બધાને વિશે સ્વચ્છપૂર્વક ક્રીડા કરવાના સ્વભાવવાળું મૃત્યુ છે; ઈત્યાદિ સ્વરૂપે મૃત્યુની પરિભાવના કરવાથી મૃત્યુ અને તેના કારણભૂત જન્મ વગેરેના નિવારણ માટે ગુરુવિનય થાય છે. કારણ કે સર્વસિદ્ધિનું મૂળ ગુરુવિનય છે.
આવી જ રીતે પાપ અને પુણ્યના વિપાકોની વિચારણા કરવાથી અર્થાત્ પાપ અને પુણ્યના હેતુ તેમ જ ફળની વિચારણા કરવાથી તેનાથી મુક્ત થવા માટે ગુરુવિનય થાય છે. સિદ્ધાંતકથા વગેરે ઉપર જણાવેલ બધો સમુદાય ગુરુવિનયથી સિદ્ધ થાય છે. એ સમુદાયની સિદ્ધિ માટે ગુરુવિનય છે અને એ સમુદાયથી ગુરુવિનયવિશેષની સિદ્ધિ થાય છે. આ રીતે એકબીજા એકબીજાનાં મૂળકારણ છે- એ સમજી શકાય છે. ૧૩-૧૫,
***
જેના મૂળભૂત કારણનું નિરૂપણ કર્યું તે ગુરુવિનયની ઉપાદેયતા અને તેના મૂળભૂત તે કારણસમુદાયની ઉપાદેયતાને હવે જણાવાય છે
एतस्मिन् खलु यत्नो विदुषा सम्यक् सदैव कर्त्तव्यः । आमूलमिदं परमं सर्वस्य हि योगमार्गस्य ॥ १३-१६॥
૩૭૯