SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુવિનયનું મૂળભૂત કારણ કયું છે? આ પ્રશ્નનું સમાધાન કરાય છે – सिद्धान्तकथा सत्सङ्गमश्च मृत्यु परिभावनं चैव । दुष्कृतसुकृतविपाकालोचनमथ मूलमस्याऽपि ॥१३-१५॥ “સિદ્ધાંતકથા, સપુરુષોનો સંપર્ક, મૃત્યુની પરિભાવના તેમ જ દુષ્કૃત અને સુકૃતના વિપાકોની વિચારણા : આ ગુરુવિનયનાં મૂળ-કારણ છે.”- આ પ્રમાણે પંદરમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે અવિરાધનાનું મૂળ કારણ “ગુરુવિનય છે-એ જણાવ્યું હતું. પરંતુ ગુરુવિનયનું જ મૂળ કારણ કયું છે ? આ પ્રશ્ન થવાથી તેના પ્રત્યુત્તરમાં આ ગાથાથી જણાવાયું છે કે ગુરુવિનયનાં પણ મૂળ કારણ - સિદ્ધાંતકથા, સત્સદ્ગમ વગેરે છે. સ્વ[જૈન-આગમનું શ્રવણ કરવાથી સંસારની અસારતાદિનું યથાર્થજ્ઞાન થાય છે. એના યોગે જ્યારે પણ સંસારથી મુક્ત બનવાની ઈચ્છા થાય ત્યારે પૂ. ગુરુદેવશ્રીની ભવનિસ્તારકતા પ્રતીત થવા લાગે છે અને તેથી તેઓશ્રીના પરમતારક વિનયમાં પ્રવૃત્તિ થતી હોય છે. સમ્યગ્દર્શનના પ્રભાવે તત્ત્વશ્રવણની ઈચ્છા થવાથી તત્ત્વશ્રવણ માટે પૂ. ગુરુદેવશ્રીનો વિનય કરવાનો હોય છે. તદુપરાંત સ્વસમય[આગમમાં વિહિત પ્રવૃત્તિ પણ પૂ. ગુરુદેવશ્રીની પરમતારક આજ્ઞાથી જ કરવાની હોવાથી, તે તે પ્રવૃત્તિમૂલક ગુરુવિનય છે. સુપ્રસિદ્ધ સત્યુરુષોના સંપર્કથી અથવા તો તેમના સંપર્ક માટે “ગુરુવિનય' થાય છે. સયુરુષો પરમવિનયી હોવાથી
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy