________________
જ રાત અને દિવસ યોગીજનોચિત અનુષ્ઠાનોમાં જેઓ રચ્યાપચ્યા રહે છે તેઓ પ્રવૃત્તચક્રાયોગી છે. ગોત્રયોગીને છોડીને કુલયોગી અને પ્રવૃત્તચક્રોગીને અનેકજન્મથી ચાલ્યો આવતો અભ્યાસ પરિશુદ્ધ છે. ૧૩-૧૩
કોને કઈ રીતે એ અભ્યાસથી શુદ્ધિ થાય છે-તે જણાવાય છે –
अविराधनया यतते यस्तस्यायमिह सिद्धिमुपयाति । गुरुविनयः श्रुतगर्भो मूलं चास्या अपि ज्ञेयः ॥१३-१४॥
ગાથાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે અપરાધવચન-આગમવિરુદ્ધના આસેવનને વિરાધના કહેવાય છે અને તેના પરિત્યાગને અવિરાધના કહેવાય છે. જે પુરુષ અવિરાધના વડે અભ્યાસમાં પ્રયત્ન કરે છે તેનો આ મૈત્ર્યાદિ ભાવોનો અભ્યાસ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. આજ્ઞાભંગના ભયનો પરિણામ; તેવા પ્રકારના જીવવિશેષના વીર્યને વધારનાર હોવાથી એ અભ્યાસ સિદ્ધિને પ્રાપ્ત કરે-એ સમજી શકાય છે. તે પૂર્વે જણાવ્યા મુજબ[બીજી ગાથામાં જણાવ્યા મુજબની ગુરુવિનય આગમાનુસાર હોય તો તે અવિરાધનાનું મૂળભૂત કારણ બને છે. કારણ કે એ શ્રુતગર્ભિત વિનયથી આજ્ઞાનું જ્ઞાન શક્ય બને છે. આથી સમજી શકાશે કે મૈત્રાદિભાવોને આત્મસાત્ કરવા માટેનું મૂળભૂત કારણ આગમસહિત ગુરુવિનય છે. [૧૩-૧૪
* * *