________________
સ્વભાવથી જ ધરનારા હોય છે. તેમના શરીરાદિનો ગંધ શુભ હોય છે અને લઘુનીતિ વડી નીતિ અલ્પ હોય છે. તેમના શરીરની કાંતિ સુંદર હોય છે; મુખની પ્રસન્નતા અલૌકિક હોય છે અને સ્વરમાં સૌમ્યતા હોય છે. આ બધાં યોગની પ્રવૃત્તિના પ્રારંભકાળનાં ચિહ્નો છે. સર્વ જીવાદિના વિષયમાં નિષ્પયોગીઓનું ચિત્ત; મૈત્રીભાવાદિથી યુક્ત હોય છે, યોગમાર્ગમાં આવતાં વિદનોને જીતી લેવા માટે સામર્થ્યથી પરિપૂર્ણ અને વૈર્યયુક્ત હોય છે. તેમ જ એ યોગી પુરુષો શીત-ઉષ્ણ, સુખદુઃખ, હર્ષ-વિષાદ અને માન-અપમાન વગેરે દ્વન્દ્રોમાં કોઈ પણ રીતે પરાભવ પામતા નથી. પોતાના પરમપદસ્વરૂપ લક્ષ્યની સિદ્ધિ માટે તેમને અભીષ્ટની સિદ્ધિ થતી જ રહે છે. આવા નિષ્પન્નયોગીજનોને ક્રમે કરી જનપ્રિયત્ન પણ પુણ્યયોગે પ્રાપ્ત થતું રહે છે.. ઈત્યાદિનું વર્ણન, “યોગદૃષ્ટિ એક પરિશીલન'માં છઠ્ઠી કાંતાદૃષ્ટિના વર્ણન વખતે થોડું વિસ્તારથી કર્યું છે. જિજ્ઞાસુઓએ તે ત્યાંથી જ સમજી લેવું જોઈએ. ૧૩-૧૨
- * * : તાઃ રત્ત્વગાસતુ. આ અગિયારમી ગાથાથી વચનાનુસાર અનુષ્ઠાન કરનારને; અભ્યાસથી મૈત્રી વગેરે ભાવો આત્મસાત થાય છે [પરિણમે છે-આ પ્રમાણે વર્ણવ્યું છે. ત્યાં એ અભ્યાસ કઈ રીતે શુદ્ધ થાય અને કોને તે પ્રાપ્ત થાય-એ જણાવાય છે –
अभ्यासोऽपि प्रायः प्रभूतजन्मानुगो भवति शुद्धः । - कुलयोग्यादीनामिह तन्मूलाधानयुक्तानाम् ॥१३-१३॥