________________
તેમના નિર્વિકલ્પ સંસ્કારોના કારણે મૈત્રી વગેરે ભાવો નાશ પામે છે. આત્માના સહજભૂત સંસ્કારને નિર્વિકલ્પ સંસ્કાર કહેવાય છે. વૈભાવિક સંસ્કારોના અભાવથી નિર્વિકલ્પ સંસ્કારો પ્રતિબુદ્ધ થાય છે. મૈત્રી વગેરે ભાવો સાંસારિક [કષાયજન્ય ભાવો છે.
બીજા આત્માઓ કરી ન શકે એ રીતે તત્ત્વ-પરમાર્થનો અભ્યાસ કરવાથી મૈત્ર્યાદિભાવો પ્રકૃષ્ટ બને છે. એ પ્રકૃષ્ટ ભાવનાના કારણે ઉત્પન્ન થયેલા અને મૈત્યાદિભાવોથી રહિત એવા તત્ત્વજ્ઞાન સ્વરૂપ ઈતર[બીજા સંસ્કારના કારણે નિષ્પન્નયોગીઓનું ચિત્ત પરોપકારના જે એક સ્વભાવવાળું હોય છે. આ આત્માઓનું એ ચિત્ત નિર્મળબોધવાળું અને . બીજા બધા જ દોષથી રહિત હોય છે.
નિષ્પન્નયોગીઓનું લક્ષણ વર્ણવતાં યોગદૃષ્ટિ સમુચ્ચય'માં જણાવ્યું છે કે તેઓ; ભવાભિનંદીના ક્ષુદ્રતા, લાભરતિ ઈત્યાદિ દોષથી રહિત હોય છે. સમુચિત મનોવૃત્તિને ધારણ કરનારા હોય છે. સર્વત્ર ઉચિત પ્રવૃત્તિને કરનારા હોય છે. શ્રેષ્ઠ કોટિની વૈરાગ્યપૂર્ણ સમતાને ઘરનારા હોય છે. નિત્યસ્વૈરવાળા પણ તેમના સાનિધ્યમાં વૈરનો ત્યાગ કરનારા બને છે અને સદાને માટે સત્યને ધારણ કરનારી માર્ગનુસારિણી તેમની પ્રજ્ઞા હોય છે. આ નિષ્પન્નયોગીનાં ચિહ્નો-લક્ષણો છે. આ યોગીઓ પૂર્વાવસ્થામાં; લોલુપતાથી રહિત હોય છે. મનોજ્ઞ વિષયોની પ્રત્યે જે ઈદ્રિયોનું આકર્ષણ છે તે આકર્ષણને લોલુપતા લિૌલ્ય કહેવાય છે. તેમની કાયા પ્રાયઃ રોગરહિત હોય છે. રોગ રોગ ન લાગે એવી પરિણતિને લઈને તેઓ નીરોગી હોય છે. અનિષ્કર પરિણામને તેઓ