________________
અને માધ્યસ્થ્ય એ ચાર ભાવના; તેના વારંવારના અભ્યાસથી વચન-આગમને ` અનુસરનારા તેમ જ સવૃત્ત-ચારિત્રવાળા એવા નિરંતર શ્રદ્ધાસંપન્ન પુરુષોને સારી રીતે પરિણમે છેઆત્મસાત્ થાય છે. ૧૩-૧૧।
***
ઉપર જણાવ્યા મુજબ યોગની શરૂઆત કરનારા માટે મૈત્રી વગેરે ભાવનાઓ આત્મસાત્ થાય છે તે જણાવ્યું. હવે નિષ્પન્ન [સિદ્ધ] યોગીઓને ચિત્ત કેવું હોય છે અર્થાત્ મૈત્રી વગેરે ભાવનાથી ભાવિત હોય છે કે નહિ-તે જણાવાય છે—
एतद्रहितं तु तथा तत्त्वाभ्यासात् परार्थकार्येव । सद्बोधमात्रमेव हि चित्तं निष्पन्नयोगानाम् ॥१३- १२॥
“નિષ્પન્ન યોગીઓનું ચિત્ત સદ્-નિર્મળબોધમાત્ર સ્વરૂપ જ હોય છે. તે પ્રકારે તત્ત્વના અભ્યાસથી પરોપકાર કરવાના સ્વભાવવાળું એ ચિત્ત મૈત્ર્યાદિ ભાવોથી રહિત હોય છે.”આ પ્રમાણે બારમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વેની ગાથામાં; જે લોકોએ યોગનો આરંભ કરી લીધો છે; અને જે લોકો યોગનો આરંભ કરી રહ્યા છે-એ આત્માઓને મૈત્રી કરુણા વગેરે ભાવનાઓ આત્મસાત્ થાય છે-એ જણાવ્યું છે. એ જાણ્યા પછી સ્વભાવથી જ એ જાણવાનું મન થાય છે કે જે લોકોને યોગની સિદ્ધિ થઈ છે, એવા નિષ્પન્નયોગીઓને મૈત્રી વગેરે ભાવો હોય છે કે નથી હોતા ? આવી જિજ્ઞાસાને શાંત કરતાં આ ગાથામાં ફરમાવ્યું છે કે નિષ્પન્નયોગીઓને મૈત્રી વગેરે ભાવો હોતા નથી. કારણ કે
૩૭૩