________________
આ ચાર પ્રકારની ઉપેક્ષાભાવના છે. ઘૃણા[દયા]ને કરુણા કહેવાય છે. અહીં એ કરુણા રોગી માણસના અપથ્યઆસેવન-સંબંધી છે. પોતાની ઈચ્છાથી રોગી માણસ અપથ્યનું આસેવન કરે છે; એવા પ્રસંગે તેનું નિવારણ કરવાની ઉપેક્ષા કરે. જોકે તે જાણે છે કે આ અપથ્યનું આસેવન કરે છે, જે તેના અહિતનું જ કારણ છે. છતાં તેમ કરતાં તેને વારે નહિ. એ કરુણાસારા નામની પ્રથમ ઉપેક્ષાભાવના છે. આ કરુણા મોહયુક્ત છે. આવી કરુણાથી તે વ્યક્તિને એમ લાગે છે કે રોગીને અપથ્ય ખાતાં રોકવાથી અનુકંપાનો નાશ થાય છે. કાર્યસંબંધી પ્રવાહનો પરિણામ કે જે ફળની પ્રાપ્તિ સુધી ચાલતો હોય છે તેને અનુબંધ કહેવાય છે. જે ફળના ઉદ્દેશથી જે કાર્ય આરંભ્યું હોય તે ઉદ્દેશની સિદ્ધિ ન થાય ત્યાં સુધી તે કાર્ય ચાલતું હોય છે. તે કાર્યસંબંધી પ્રવાહપરિણામને અહીં અનુબંધ તરીકે વર્ણવ્યો છે. એ અનુબંધને આશ્રયીને થતી ઉપેક્ષાને દ્વિતીય ઉપેક્ષાભાવના કહેવાય છે. જેમ કે કોઈ પુરુષ અર્થના ઉપાર્જનમાં આળસુ છે. તેને કોઈ તેના હિતનો અર્થી માણસ કોઈ વાર અર્થના ઉપાર્જન માટે પ્રેરણા કરે; પરંતુ કોઈ વાર પરિણામે સુંદર એવા કાર્યની પરંપરાને જોઈને પ્રેરણા કર્યા વિના માધ્યસ્થ્યને ધારણ કરે તે અનુબંધસારા ઉપેક્ષાભાવના છે.
: નિર્વેદ એટલે ભવવૈરાગ્ય. એને લઈને કરાતી ઉપેક્ષા એ નિર્વેદસારા નામની ત્રીજી ઉપેક્ષાભાવના છે. નરકાદિ ચારે ગતિમાં અનેક જાતિનાં દુ:ખો ભોગવનારને દેખીતી રીતે દેવ કે મનુષ્યગતિમાં ઈદ્રિયોને આહ્લાદકર સુખ જણાતું હોવા
૩૭૧