________________
આનંદને પ્રથમ પ્રકારની મુદિતાભાવના કહેવાય છે. પોતાનાં કે પારકાનાં એવાં સુખોમાં આનંદ પામવાનું ખરી રીતે કોઈ જ કારણ નથી. પરંતુ અનાદિકાળના મોહજન્ય સંસ્કારના કારણે આ પ્રમાણે બને છે.
હિત અને મિત આહારના પરિણામના કારણે ઉત્પન્ન થયેલાની જેમ પરિણામે સુંદર અને પરિહૃષ્ટ એવા આ લોક સંબંધી સુખનો જે; તેવા પ્રકારના આહારના પરિભોગથી ઉત્પન્ન થયેલા મધુરરસના સ્વાદ જેવો હેતુભૂત, પોતાના કે. બીજાના સુખવિશેષમાં જે આનંદ છે તે બીજા પ્રકારની મુદિતાભાવના છે. પરિણામે સુંદર-એવા સુખને ઉત્પન્ન કરવાની છે શક્તિ જેમાં એવો હેતુ છે જેનો તેવા પ્રકારના હિત-મિત આહારના પરિભોગથી ઉત્પન્ન થયેલા રસાસ્વાદના સુખ જેવા સુખવિશેષમાં જે આનંદ છે તેને બીજી મુદિતા ભાવના કહેવાય છે. પ્રથમ મુદિતાભાવના અનિષ્ટપરિણામજનક સુખમાં છે અને દ્વિતીય મુદિતાભાવના ઈષ્ટપરિણામજનક સુખમાં હોય છે.
દેવ અને મનુષ્ય જન્મમાં સુખની પરંપરાનો વિચ્છેદ ન થવા સ્વરૂપ જે અનુબંધ છે તેનાથી યુક્ત એવા સુખના વિષયમાં જે આનંદ છે તે તૃતીય મુદિતાભાવના છે. પોતાના અને પરના ઉભયલોકસંબંધી સુખના વિષયમાં ત્રીજી મુદિતા ભાવના છે.
મોહક્ષય વગેરેના કારણે ઉત્પન્ન થનારા અવ્યાબાધ, અનવદ્ય અને શાશ્વત એવા મોક્ષસુખમાં જે આનંદ છે તેને ચોથી મુદિતાભાવના કહેવાય છે.
કરુણાસારા, અનુબંધસારા, નિર્વેદસારા અને તત્ત્વસારા