________________
એટલે મોક્ષનો અભિલાષ. તેને લઈને સુખી એવા જનોને વિશે પણ પ્રીતિના કારણે છદ્મસ્થો[કેવલજ્ઞાનથી રહિત]ને સ્વભાવથી જ સંસારસંબંધી દુઃખથી પરિરક્ષણ કરવાની સંસારસ્વરૂપ દુઃખથી છોડાવવાની] જે ઈચ્છા પ્રવર્તે છે, તેને ત્રીજી સંવેગકરુણા કહેવાય છે. અને સામાન્યથી સામી વ્યક્તિને પ્રીતિ ન હોય તોપણ સર્વ જનોને વિશે શ્રી કેવલજ્ઞાની પરમાત્માની જેમ મહામુનિઓને બધી રીતે અનુગ્રહ કરવામાં તત્પર એવી જે હિતબુદ્ધિથી કરુણા હોય છે તેને ચોથી અન્યહિતકરુણા કહેવાય છે. ૧૩-૯॥
***
આ રીતે નવમી ગાથાથી મૈત્રી ભાવનાના અને કરુણા ભાવનાના ચાર પ્રકારો વર્ણવ્યા. હવે મુદિતા અને ઉપેક્ષા ભાવનાના ચાર પ્રકારો દશમી ગાથાથી વર્ણવાય છે
सुखमात्रे सद्धेतावनुबन्धयुते परे च मुदिता तु । करुणानुबन्धनिर्वेदतत्त्वसारा ह्युपेक्षेति ॥ १३-१०॥
-
“સર્વ સુખને ર્વિશે; સુંદર હેતુને વિશે [સુંદર હેતુવાળા સુખને વિશે]; સાનુબંધ સુખને વિશે અને સર્વોત્કૃષ્ટ સુખને વિશે જે આનંદ છે; તે અનુક્રમે પહેલી, બીજી, ત્રીજી અને ચોથી મુદિતા ભાવના છે. અને કરુણાપ્રધાન, અનુબંધપ્રધાન, નિર્વેદપ્રધાન અને તત્ત્વપ્રધાન : આ ચાર પ્રકારની ઉપેક્ષા ભાવના છે.”- આ પ્રમાણે દશમી ગાથાનો અર્થ છે.
આશય એ છે કે અપથ્ય આહારને વાપરવાથી ક્ષણવાર તૃપ્તિને કરાવનાર અને પરિણામે અસુંદર એવા સુખના જેવાં સામાન્યથી જ વિષયજન્ય સુખોમાં થનાર
૩૬૯