________________
જનોના વિષયમાં જે મૈત્રી છે તે વિષય[મૈત્રીના પાત્રના ભેદથી ચાર પ્રકારની છે.
ઉપકાર કરવાનો જેનો સ્વભાવ છે એવા જીવોને ઉપકારી કહેવાય છે. એવા જનોના ઉપકારને આશ્રયીને જે મૈત્રીનો પરિણામ છે, તે પ્રથમ પ્રકારની મૈત્રી છે. પોતાના કે જેની સાથે લોહીનું સગપણ છે એવા જનને સ્વજન કહેવાય છે. તેનો ઉદ્ધાર કરવાનો જે પરિણામ છે. તેને સ્વજનમૈત્રીસ્વરૂપ બીજા પ્રકારની મૈત્રી કહેવાય છે. ઉપકારી કે સ્વજનના વિષયમાં ઉપકાર કે સગપણનો વિચાર કર્યા વિના અથવા પરિચિત એવા જનના વિષયમાં જે મૈત્રી પ્રવર્તે છે; તેને ત્રીજા પ્રકારની ઈતરમૈત્રી કહેવાય છે. અને સામાન્યથી બધા જનોમાં અપરિચિત હોય તોપણ હિતની ચિંતાનો જે પરિણામ પ્રવર્તે છે, તેને ચોથા પ્રકારની સામાન્યમૈત્રી કહેવાય છે. આ રીતે ગાથાના પૂર્વાર્ધથી ચાર પ્રકારની મૈત્રીનું વર્ણન કરીને ઉત્તરાર્ધ્વથી ચાર પ્રકારની કરુણાનું વર્ણન કરાય છે.
મોહ, અસુખ, સંવેગ અને અન્યહિતથી યુક્ત કરુણા મોહાદિના ભેદથી ચાર પ્રકારની છે. મોહ એટલે અજ્ઞાન. અજ્ઞાનપૂર્વકની કરુણાને દુઃખ દૂર કરવાની ભાવનાને] પ્રથમ પ્રકારની મોહકરુણા કહેવાય છે. માંદો માણસ અપથ્ય માંગે ત્યારે તેને તે આપવાની ઈચ્છા જેવી જે કરુણા છે તેને મોહકરુણા કહેવાય છે. પરિણામે એ કરુણા અહિતકારિણી બને છે. જેમને સુખ નથી એવા અસુખ-જનોને [દુઃખી જનોને] આહાર, વસ્ત્ર, શયન અને આસન વગેરે આપવાની જે ભાવના છે તેને બીજી અસુખકરુણા કહેવાય છે. સંવેગ
૩૬૮