SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ એ હિતકર નથી. સામા માણસના હિતની અપેક્ષા હોય તો સૌ પ્રથમ તેની યોગ્યતાનો વિચાર કરવો જોઈએ, ત્યાર પછી જ શાસ્ત્રાનુસારી સદ્ધર્મદેશનાનું સમ્યગ્રીતે પ્રદાન કરવું જોઈએ. ।।૧-૧૫ *** ઉપર પંદરમી ગાથામાં જણાવેલી વાતને સ્પષ્ટ કરતાં સોળમી ગાથામાં ફરમાવ્યું છે કે एतद् विज्ञायैवं यथार्हं (थोचितं ) शुद्धद्भावसंपन्नः । विधिवदिह यः प्रयुंक्ते करोत्यसौ नियमतो बोधिम् ॥१६॥ ગાથાર્થ ખૂબ જ સ્પષ્ટ છે કે-આ રીતે બાલાદિ જીવોને પ્રાયોગ્ય દેશના સંબંધી ઉચિત જાણીને શુદ્ધભાવથી પરિપૂર્ણ જે પૂ. ગુરુભગવંત; વિધિપૂર્વક બાલાદિ જીવોને સદ્ધર્મદેશનાસ્વરૂપ ઔષધ પ્રયોજે છે તે પૂ. ગુરુભગવંત ચોક્કસપણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવે છે. ૧-૧૬॥ ॥ इति प्रथमं षोडशकम् ॥ .. ॥ અથ દ્વિતીયં ષોડશમ્ || અનન્તોપકારી શ્રી અરિહન્ત પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા ગ્રન્થકાર પરમર્ષિ શ્રીમદ્ હિરભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ ષોડશક પ્રકરણમાં પ્રથમ ષોડશક દ્વારા સદ્ધર્મપરીક્ષક બાલ, મધ્યમ અને પંડિત જનોનો પરીચય કરાવ્યો. એ વખતે તેમની સદ્ધર્મપરીક્ષા ૩૪
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy