________________
हितमपि वायोरौषधमहितं तत् श्लेष्मणो यथात्यन्तम् । सद्धर्यदेशनौषधमेवं बालाद्यपेक्षमिति ॥१-१५॥
જેમ વાતરોગને દૂર કરવાનું ઔષધ હિતકર હોવા છતાં એ ઔષધ કફરોગને દૂર કરવા માટે લેવાય તો ખૂબ જ અહિતકર બને છે. તેમ બાલાદિ જીવોની અપેક્ષાએ અપાતી સધર્મદેશના સ્વરૂપ ઔષધ મધ્યમાદિ જીવોને માટે અહિતકારક છે. આશય સ્પષ્ટ છે કે શરીરમાં રહેલા વાયુરોગને દૂર કરવા માટે સ્નેહપાન [ઘીની રાબ વગેરે ઔષધ લેવાથી શરીરમાં વાયુતત્ત્વ સામ્યવસ્થાને પામતું હોવાથી હિતકર બને છે. પરંતુ એ જ હિતકર ઔષધ સર્દી વગેરે શ્લેષ્મ રોગને દૂર કરવા માટે લેવામાં આવે તો તે શ્લેષ્મની વૃદ્ધિ કરતું હોવાથી સર્વથા અહિતકર બને છે. આવી જ રીતે બાલાદિ જીવોની અપેક્ષાએ જે દેશના વિહિત છે, તે તે દેશના આગમવિહિત હોવાથી ખરેખર જ સુંદર છે. પરંતુ એ સદ્ધર્મદેશના સ્વરૂપ ઔષધ પણ મધ્યમાદિ જીવોને આપવામાં આવે તો તે સમજવામાં નહિ આવવાથી અને તેથી તેની અવજ્ઞા થતી હોવાથી અહિતકર બને છે. આથી અપાયનો જેમને ડર છે એવા ગુરુભગવંતે બાલાદિ જીવોના ભાવને જાણીને તેમને અનુકૂળ એવી સધર્મદેશના આપવી જોઈએ. કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે બાલાદિ જીવોનું યથાર્થ સ્વરૂપ સમજીને પછી જ તેમની યોગ્યતા મુજબ તેમને દેશના આપવી જોઈએ. કોઈ પણ વસ્તુની યોગ્યતાનો વિચાર કર્યા વિના માત્ર વસ્તુની ઉત્તમતાને જોઈને ગમે તે રીતે ગમે તેને ગમે તે વસ્તુ આપવી