________________
સંસારસ્વરૂપ વનમાં ભયંકર વિપાકનો અનુભવ કરાવે છે. કારણ કે શ્રી વીતરાગપરમાત્માની પરમતારક-આજ્ઞાથી રહિત એવી કુશીલ પ્રવૃત્તિ મહા-અનર્થનું કારણ છે. બાલાદિયોગ્ય દેશના મધ્યમાદિ જીવોને આપવાથી નિમ્નકક્ષાની દેશનાના
કારણે તે તે જીવોને કોઈ લાભ થતો નથી. અને બાલાદિને - મધ્યમાદિપ્રાયોગ્ય દેશનાથી બાલાદિ અતિપરિણત વિધારે ડાહ્યા બને છે. જેથી વિપરીત દેશના શ્રોતાઓને ઉન્માર્ગે લઈ જવા સ્વરૂપ મહાઅનર્થનું કારણ બને છે. આવી દેશનાના શ્રવણાદિસ્થ શ્રોતાઓ પોતાને અનુચિત એવી પ્રવૃત્તિ કરવા દ્વારા મહા અનર્થનું ભાજન બને છે. આથી સમજી શકાશે કે પરસ્થાન-દેશનાનો ત્યાગ કરી બાલાદિ જીવોને તેમની રુચિ વગેરેને જાણીને તેમને અનુરૂપ જ સદ્ધર્મદેશના આપવી જોઈએ. આ અંગે કોઈ પણ જાતની ઉપેક્ષા સેવ્યા વિના ખૂબ જ કાળજીપૂર્વક પ્રયત્નશીલ બનવું જોઈએ. અનંતજ્ઞાનીઓનાં વિધાનોની ઉપેક્ષા કરવાજેવી નથી. એવી ઉપેક્ષા અંતે તો આપણા અહિતનું જ કારણ બન્યા વિના નહીં રહે. આદર-બહુમાનાદિપૂર્વક અનંતજ્ઞાનીઓનાં વિધાનોના આસેવન વિના કલ્યાણ થાય એ શક્ય નથી. ૧-૧૪
આગમમાં જેનું વર્ણન છે એ સ્વરૂપથી સુંદર છે તો પછી માત્ર પરસ્થાને આપવાથી અપાય-અનિષ્ટ કઈ રીતે થાય? આવી શંકાનું સમાધાન કરતાં તેમાં દૃષ્ટાન્ન [ઉદાહરણ જણાવવા માટે પંદરમી ગાથા છે.