________________
સારા અિધિકારી] લોકો કરે એ બરાબર છે. બાલાદિ જીવોની રુચિનો જેમને ખ્યાલ છે એવા પૂ.ગુરુભગવંતોએ તે તે જીવોની રુચિ મુજબ પણ સઘર્મની જ દેશના તે તે જીને આપવાની છે. એથી જ તેમને ઉપકાર થઈ શકે છે. અન્યથા દેશનાથી કોઈ લાભ થશે નહિ. શ્રી વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલા પરમતારક સદ્ધર્મની દેશના જો યોગ્ય રીતે યોગ્ય આત્માઓને આપવામાં આવે તો ખૂબ જ લાભનું કારણ બની જાય. “ધર્મ તો એકાત્તે કલ્યાણકર છે” એમ માનીને ગમે તે રીતે ગમે તેને તેનો ઉપદેશ આપવાથી કોઈ લાભ નથી-એ યાદ રાખવું જોઈએ. ll૧-૧૩
- તેરમી ગાથામાં જણાવેલી વાતને સ્પષ્ટપણે જણાવવા, તેનો હેતુ જણાવવાપૂર્વક અયોગ્ય દેશનાની અનર્થકારિતા જણાવાય છે
यद् भाषितं मुनीन्द्रः पापं खलु देशना परस्थाने । उन्मार्गनयनमेतद् भवगहने दारुणविपाकम् ॥१-१४॥
આશય એ છે કે બાલાદિ જનોને દેશના આપતી વખતે બાલાદિ ભાવોને જાણ્યા વિના તે તે જીવોને તેમને પ્રાયોગ્ય દેશના આપવામાં નહિ આવવાથી એટલે કે અન્યપ્રાયોગ્ય દેશના આપવાથી તે તે દેશના પરસ્થાન-દેશના થાય છે. આવી પરસ્થાન-દેશનાને આગમના જ્ઞાતા એવા પરમજ્ઞાની ભગવંતોએ પાપરૂપે વર્ણવી છે. આવી વિપરીત દેશના કરવાથી શ્રોતાઓને ઉન્માર્ગે લઈ જવાય છે, જે પરિણામે આ