________________
યોગ તરીકે વર્ણવવામાં અને તેના અભ્યાસને યોગાભ્યાસ તરીકે વર્ણવવામાં કોઈ દોષ નથી.
અહીં યાદ રાખવું જોઈએ કે પાતઋલ યોગસૂત્રમાં ચિત્તવૃત્તિનો નિરોધ એ યોગનું લક્ષણ વર્ણવ્યું છે. એના આધારે સ્થાનાદિ યોગસ્વરૂપ નથી. પરંતુ યોગના અગ્ર[કારણ છે. તેથી ઉપચાર કરીને તેને યોગસ્વરૂપ મનાય છે. પણ મોક્ષની સાથે જોડી આપનારને યોગ કહેવાય છે-આ પ્રમાણે સ્વદર્શનપ્રસિદ્ધ યોગના લક્ષણના આધારે તો સ્થાનાદિ યોગસ્વરૂપ છે જ. તેથી સ્થાનાદિમાં યોગત્વનો ઉપચાર કરવાની આવશ્યકતા નથી. ઈત્યાદિ “યોગવિંશિકા એક પરિશીલન' થી સમજી લેવું જોઈએ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ-આ આઠ યોગના અંગ છે. અન્યત્ર યોગદૃષ્ટિ એક પરિશીલન'માં એ બધાનું સ્વરૂપ વર્ણવ્યું છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જ તે જાણી લેવું જોઈએ. ll૧૩-૪
* * * - હવે પરાર્થકરણસ્વરૂપ સાધુસચ્ચેષ્ટાનું સ્વરૂપ જણાવાયા છે -
विहितानुष्ठानपरस्य तत्त्वतो योगशुद्धिसचिवस्य । भिक्षाटनादि सर्वं परार्थकरणं यते ज्ञेयम् ॥१३-५॥
મન, વચન, કાયાની શુદ્ધિથી સહિત અને વિહિતા અનુષ્ઠાનમાં તત્પર એવા સાધુભગવંતોનું ભિક્ષાટનદિ બધું વસ્તુતઃ પરાર્થકરણ સ્વરૂપ જાણવું.”- આ પ્રમાણે પાંચમી