________________
યોગના મોક્ષની સાથે સારી રીતે જોડી આપનાર સમ્યગ્ અભ્યાસને તત્ત્વના જાણકારો યોગાભ્યાસ કહે છે.’-આ પ્રમાણે ચોથી ગાથાનો અર્થ છે. યોગમાં જેના વડે રહેવાય છે તેને સ્થાન કહેવાય છે, જે; કાયોત્સર્ગ, પર્યંકબંધ અને પદ્માસનાદિ રૂપ સકલશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. ઊર્ણ વર્ણાત્મક શબ્દસ્વરૂપ છે. એ શબ્દનો અર્થ તે અર્થયોગ છે. બાહ્યવિષયસ્વરૂપ પ્રતિમાદિ આલંબન છે અને આલંબનના સ્વરૂપથી શૂન્ય [આલંબનથી ભિન્ન અનાલંબન છે. આલંબનના અભાવ સ્વરૂપ અનાલંબન છે. સ્થાનાદિનું સ્વરૂપ આ પૂર્વે ‘યોગવિંશિકા એક પરિશીલન’માં જણાવ્યું છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી તે સમજી લેવું.
સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન : આ યોગોનું વાસ્તવિક જે પરિભાવન [સર્વ રીતે અભ્યાસ] તેને યોગાભ્યાસસ્વરૂપ સાધુસચ્ચેષ્ટા કહેવાય છે. આ પરિભાવન સારી રીતે પરતત્ત્વસ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરાવનારું છે. તેમ જ યોગ અથવા યોગના અગ સ્વરૂપ ધ્યાનના અભ્યાસપરિચય સ્વરૂપ હોવાથી તે યોગાભ્યાસસ્વરૂપ છે- એમ તત્ત્વના જાણકારો કહે છે.
આ રીતે સ્થાનાદિને યોગસ્વરૂપ અને તેના અભ્યાસને યોગાભ્યાસ સ્વરૂપ કઈ રીતે મનાય ? કારણ કે સ્થાનાદિ તો યોગનાં અગ્ગો છે.’-આવી શંકા કરવી ના જોઈએ. કારણ કે કારણમાં કાર્યનો ઉપચાર કરીને યોગપ્રતિપાદક શાસ્ત્રોમાં યોગનાં અગોને પણ ઉપચારથી યોગ સ્વરૂપે વર્ણવ્યાં છે. સ્થાનાદિ યોગનાં અગો છે- એ પ્રમાણે તો પાતંજલયોગસૂત્રમાં જણાવ્યું છે. તેથી ઉપચારથી તેને [સ્થાનાદિ યોગાગોને]
૩૬૧