SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ તકૃતજ્ઞતાચિત્ત કહેવાય છે. આવું ગુરુસંબંધી કૃતજ્ઞતાચિત્ત ગુરુવિનય છે: શાસનસ્વરૂપ આજ્ઞાનિયોગ કહેવાય છે. આજ્ઞાયોગ આજ્ઞાનિયોગ સ્વરૂપ છે. જેમ રાજાના શાસનને રાજાજ્ઞા કહેવાય છે તેમ ગુરુશાસન ગુરુની આજ્ઞા સ્વરૂપ છે. એ પરમતારક આજ્ઞામાં ઉત્સાહને અથવા આજ્ઞા સાથેના સંબંધને અહીં આજ્ઞાયોગ તરીકે વર્ણવ્યો છે. પૂ. ગુરુદેવશ્રી જ્યારે આજ્ઞા આપે ત્યારે તેને નિષ્ફળ કરવાની ઈચ્છા ન કરવી એ આજ્ઞાયોગસ્વરૂપ ગુરુવિનય છે. તેમ જ દરેક કાર્ય પૂ. ગુરુદેવશ્રીની પરમતારક આજ્ઞાપૂર્વક કરવાનાં હોવાથી પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાની સાથે કાર્યવ્યાપકત્વસંબંધ છે, તેને આજ્ઞાયોગ કહેવાય છે. દરેક કાર્યમાં આ રીતે આજ્ઞાનું પ્રાધાન્ય રાખવા સ્વરૂપ આ આજ્ઞાયોગ છે. - પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાને યથાર્થ રીતે પાર પમાડવા સ્વરૂપ તત્સત્યકરણતા છે. તેઓશ્રી વિદ્યમાન હોય કે સ્વર્ગસ્થ થયા હોય તોપણ તેઓશ્રીએ જે પ્રમાણે જણાવ્યું હોય તે પ્રમાણે તેઓશ્રીના પરમતારક વચનને પૂર્ણ કરવા સ્વરૂપ તત્સત્યકરણતા” પણ ગુરુવિનય છે. પૂ. ગુરુભગવંતે જે આજ્ઞા કરી હોય તે આજ્ઞાપાલનના ફળને પ્રાપ્ત કરવું, તેને તત્સત્યકરણતા કહેવાય છે. આ બધો [ગુરુવૃત્તિબહુમાનાદિ] જ ગુરુવિનય છે. કારણ કે ગુરુભગવંતની પ્રીતિ માટેનો એ બધો બાહ્ય વ્યાપાર છે. ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧૩-રા
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy