________________
પ્રતિયોગિત્વ રહે છે.) પૂ. ગુરુદેવમાં છે. એ સંબંધથી શિષ્યનું બહુમાન પૂ. ગુરુદેવશ્રીમાં રહે છે. આંતરિક પ્રીતિવિશેષ સ્વરૂપ જે ગુણરાગ છે, તેને બહુમાન કહેવાય છે. મોહના ઉદયથી જે પ્રીતિ ઉત્પન્ન થાય છે તેને બહુમાન સ્વરૂપ મનાતી નથી. મોહ સ[આસક્તિપૂર્વકની પ્રતિપત્તિ સ્વરૂપ છે. મમત્વપૂર્વકના સ્વીકારને સદ્ગપ્રતિપત્તિ કહેવાય છે. શાસ્ત્રમાં તે મોહનો નિષેધ કરાયો છે. પરમગુરુ શ્રી મહાવીર પરમાત્મામાં ગૌતમસ્વામીના રાગની જેમ તે મોક્ષની પ્રત્યે ઉપકારક ન હોવાથી તેનો નિષેધ છે. મોક્ષને અનુકૂળ એવા ગુરુભાવપ્રતિબંધરિાગનો નિષેધ નથી. કારણ કે તેથી સકલ કલ્યાણની સિદ્ધિ થાય છે.
જે કોઈ શિષ્ય પોતાની ઉપર કરેલા ગુરુસંબંધી ઉપકારને વિશિષ્ટવિવેકસંપન હોવાથી જાણે છે, જેમ કે
મારી ઉપર અનુગ્રહ કરવામાં તત્પર એવા ગુરુદેવશ્રીએ પોતાના શારીરિક ખેદાદિ ક્લેશનો વિચાર કર્યા વિના [ક્લેશને ગણકાર્યા વિના રાત અને દિવસ ઘણા કાળ સુધી શાસ્ત્રના અધ્યયન[અધ્યાપન દ્વારા)થી પ્રાપ્ત થયેલા પરિજ્ઞાનસંબંધી પુષ્કળ પ્રયાસ કર્યો છે.” આ પ્રમાણે જાણે છે, એ શિષ્યને કૃતજ્ઞ કહેવાય છે. અથવા અલ્પ પણ ઉપકારને ઘણો માને છે, તેને કૃતજ્ઞ કહેવાય છે. અથવા કરેલ કે નહિ કરેલ ? એ લોકપ્રસિદ્ધ બંનેમાં વિભાગ વડે પોતાની બુદ્ધિની નિપુણતાથી, કરેલી વસ્તુના વિશેષ સ્વરૂપને જે બરાબર જાણે છે પરંતુ જડતાથી, કરેલી વસ્તુને પણ સાક્ષાત્ અથવા પરંપરાએ જાણતો નથી એવું બનતું નથી, તે શિષ્યને કૃતજ્ઞ કહેવાય છે. એમાં રહેલી એ કૃતજ્ઞતાસહિત ચિત્તને