________________
જ્ઞાનને સ્પર્શ કહેવાય છે. આ સ્પર્શથી ભિન્ન સંવેદનમાત્ર હોય છે. તે તત્ત્વપરામર્શથી શૂન્ય હોય છે. ગમે તે રીતે વસ્તુનું ગ્રહણ કરતું હોવા છતાં પ્રમાણ-[આગમાદિથી શેયગ્રાહ્ય એવા સંપૂર્ણ અર્થનું ગ્રહણ સંવેદનથી થતું નથી. તેથી જાણ્યું, ન જાણ્યા બરાબર હોય છે. તેથી જ તે અવિદિત છે. અને તેનું ફળ ન હોવાથી તે સંવેદનમાત્ર વિફળ પણ છે. સ્પર્શ તો કોઈ પણ જાતના વિલંબ વિના પોતાના ફળને પ્રાપ્ત કરાવે છે. સ્પર્શ અને તેનાથી ભિન્ન અસ્પર્શ સ્વરૂપ એવા જ્ઞાનમાં આ [ વિફળતા અને વિલંબ વિના ફળને આપવા સ્વરૂપ ] વિશેષ છે. ૧૨-૧પ
પૂર્વે જણાવ્યા મુજબ દીક્ષામાં અંતિમ ભાગમાં સંવેગ અને સ્પર્શ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયા પછી દીક્ષાસંપન્ન જે કરે છે તે જણાવાય છે -
व्याध्यभिभूतो यद्वन्निर्विण्णस्तेन तत्-क्रियां यत्नात् । सम्यक्करोति तद्वद् दीक्षित इह साधुसच्चेष्टाम् ॥१२-१६॥
રોગથી પીડાયેલો એવો. રોંગથી ઉગ પામે ત્યારે જેમ પ્રયત્નપૂર્વક રોગની ચિકિત્સા સારી રીતે કરે છે તેમ અહીં દીક્ષિત થયેલ સાધુમહાત્મા, સાધુભગવંતની ગુરુવિનયાદિસચ્ચેષ્ટાને કરે છે.” આ પ્રમાણે સોળમી ગાથાનો અર્થ છે. ભાવાર્થ સમજી શકાય એવો ખૂબ જ સ્પષ્ટ છે. કોઢ વગેરેથી પીડાગ્રસ્ત અને કોઢ વગેરેથી કંટાળેલો માણસ; જેમ તેના પ્રતીકર સ્વરૂપ ચિકિત્સાને સારી રીતે કરે છે તેમ અહીં