________________
ધ્યાનનો પહેલા પ્રયોગ કર્યો છે. બાકી તો દીક્ષાના પૂર્વકાળમાં અધ્યયન પછી જ ધ્યાનની પ્રવૃત્તિ કરવાની છે. અધ્યયનથી રહિત ધ્યાનની પ્રવૃત્તિ વિહિત નથી-એ યાદ રાખવું. અધ્યયનના સમયમાં ધ્યાન માટે સમય મળે તો પૂ. ગુરુદેવશ્રીના માર્ગદર્શન મુજબ ધ્યાનનો અભ્યાસ કરવામાં બાધ નથી.
આ રીતે અધ્યયન અને ધ્યાનની અનવરત પ્રવૃત્તિ પછી ધ્યાનના વિષયભૂત-ધ્યેયના તે તે ગુણોમાં તન્મયતા પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ બંધ, મોક્ષ વગેરે સ્વરૂપ સૂક્ષ્મ અર્થની વિચારણાના કારણે સંવેગ- મોક્ષનો અભિલાષ- ઉત્પન્ન થાય છે અને તેથી છેલ્લે સ્પર્શ અર્થાત્ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ॥૧૨-૧૪॥
***
પૂર્વગાથામાં જણાવેલ સ્પર્શનું સ્વરૂપ અને તેનું શ્રેષ્ઠ ફળ જણાવાય છે
स्पर्शस्तत्तत्त्वाप्तिः संवेदनमात्रमविदितं त्वन्यत् । वन्ध्यमपि स्यादेतत्स्पर्शस्त्वक्षेपतत्फलदः ॥ १२-१५॥
“જીવાદિવસ્તુના તત્ત્વની પ્રાપ્તિને સ્પર્શ કહેવાય છે. જે સ્પર્શથી ભિન્ન છે તે સંવેદનમાત્ર છે, અવિદિત છે. તે વિફળ પણ હોય છે. સ્પર્શ તો વિના વિલંબે પોતાના ફળને પ્રાપ્ત કરાવે છે.’-આ પ્રમાણે પંદરમી ગાથાનો અર્થ છે. ભાવાર્થ સ્પષ્ટ છે કે, જેના વડે વસ્તુના તત્ત્વનો સ્પર્શ થાય છે તે સ્પર્શ છે’-આ સ્પર્શ શબ્દની વ્યુત્પત્તિના આધારે કોઈ પણ વિવક્ષિત વસ્તુના આરોપશૂન્ય સ્વરૂપની પ્રાપ્તિ-ઉપલંભને સ્પર્શ કહેવાય છે. જીવાદિ વસ્તુના પારમાર્થિક સ્વરૂપના
૩૫૪