________________
સર્વથા પાપથી વિરામ પામેલા એવા તેઓશ્રીને જે પ્રાપ્ત થાય છે તે જણાવાય છે –
सम्पन्नायां चास्यां लिङ्गं व्यावर्णयन्ति समयविदः । धर्मैकनिष्ठतैव हि शेषत्यागेन विधिपूर्वम् ॥१२-११॥
“આ દીક્ષા પ્રાપ્ત થયે છતે એનું લિગ્ન-લક્ષણ, બીજાં બધું છોડીને વિધિપૂર્વક માત્ર એક ધર્મમાં જ તત્પર રહેવું એ છે : એમ આગમના જાણકારો ફરમાવે છે.”- આ પ્રમાણે અગિયારમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ જે મહાપુરુષોને દીક્ષાની સુષ્માપ્તિ થાય છે, તે મહાપુરુષો સર્વદા ઘર્મ કરવા માટે પ્રતિબદ્ધ હોય છે. એ ઘર્મ પણ શાસ્ત્રમાં વર્ણવેલી વિધિપૂર્વક જ તેઓ કરતા હોય છે અને ધર્મ સિવાય બીજા બધા જ અનુપાદેયનો [ગ્રહણ કરવા યોગ્ય ન હોય તેનો ત્યાગ કરવા વડે તેઓ ઘર્મ કરવામાં તત્પર હોય છે. આવી ઘર્મક્રિયા તાત્ત્વિક દીક્ષાનું લિગ છે. ગાથામાં સિા પદ પછી તટુ આ પદ પૂર્ણ કરવાનું છે અને જ્યિા આ પદ અધ્યાહારથી લેવાનું છે. તેથી સમજી શકાશે કે ઉપર જણાવ્યા મુજબ ઘર્મેકતત્પરતાસ્વરૂપ આ કિયા મહાપુરુષોની દીક્ષાનું લિંગ છે. અર્થા આવી ક્રિયા મહાપુરુષોની દિક્ષાસપ્રાપ્તિને જણાવનારી છે. દક્ષિાસંપન આત્માઓ એ મુજબ ધર્મ કરવામાં તત્પર હોય છે. ./૧ર-૧૧
આ સર્વવિરતિસ્વરૂપ દીક્ષામાં ક્ષમા વગેરે ધર્મની યોજના[સંબંધીને હવે બે ગાથાથી જણાવાય છે –