________________
“નામાદિના સંસ્કારના કારણે સારી રીતે ગુરુપારતન્યના યોગે પાપસ્વરૂપ વિષનો નાશ થવાથી આ દીક્ષા મહાપુરુષોને પ્રાપ્ત થાય છે.”-આ પ્રમાણે દસમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવની સ્થાપના સ્વરૂપ સંસ્કારથી મહાપુરુષોને દેશવિરતિ અને સર્વવિરતિ સ્વરૂપ બે પ્રકારની દીક્ષા પ્રાપ્ત થાય છે. જેઓ મહાપુરુષો નથી તેઓ કોઈ પણ વ્રતને ધરનારા હોતા નથી. કારણ કે મહાપુરુષોની જેમ દૃઢપ્રતિજ્ઞાવાળા તેઓ હોતા નથી. નામાદિના સંસ્કારથી શિષ્યને એમ થાય છે કે, “હું હવે સાધુ થયો. મારાથી હવે કોઈ પણ જાતનું પાપ ન થાય. પ્રમાદાદિને આધીન બનાય નહિ'..ઈત્યાદિ પરિણામથી તેને દીક્ષાની પ્રાપ્તિ થાય છે. કારણ કે સારી રીતે પૂ. ભવનિસ્તારક ગુરુદેવશ્રીનું પાતંત્ર્ય તે કેળવી લે છે. પાપસ્વરૂપ વિષને દૂર કરવા માટે પૂ. ગુરુભગવંત પરમગારુડિક છે. તેઓશ્રીના પરમપાતંત્ર્યના કારણે પાપસ્વરૂપ વિષ દૂર થવાથી જ મહાપુરુષોને દીક્ષા પરિણમે છે. “વિષપદારિણી રીક્ષા' વિષને દૂર કરનારી દીક્ષા છે - આ પ્રમાણે કેટલાક લોકોના વચનના આધારે અહીં પાપસ્વરૂપ વિષને અથવા પાપ અને વિષને રિાગાદિને દૂર કરવાની વાત જણાવી છે. અવિપરીતપણે ગુરુદેવશ્રીના પરમતારક યોગે તેમ જ વ્રતપ્રતિજ્ઞાની ધારણાના યોગે પાપવિષનો અપગમ થાય છે...ઈત્યાદિ સમજી લેવું જોઈએ. ૧૨-૧૦
| મહાપુરુષોને આ રીતે દીક્ષાની સમ્પ્રાપ્તિ થયે છતે