________________
કરનારને નિરંતર પોતાની પ્રતિજ્ઞાનું અનુસ્મરણ રહેવાથી ભાવપૂર્વક સાધુપણાની પ્રવૃત્તિ થવાના કારણે ભાવારોગ્ય[કર્મનિર્જરાદિની પ્રાપ્તિ થાય છે. શ્રી આચારાંગ વગેરે શ્રુત અને સકલ સાધુકિયા અહીં દ્રવ્ય રૂપે વિવક્ષિત છે. એના નિરંતર અભ્યાસથી મહાવ્રતોનાં પાલનાદિમાં સ્થિરતા આવે છે અને સમ્યગ્દર્શનાદિસ્વરૂપ ભાવ [ક્ષયોપશમાદિ ભાવાચાર્યપદાદિની પ્રાપ્તિનું કારણ બને છે. આવા સમ્યગ્દર્શનાદિ ભાવો વિશેષવિશુદ્ધ-પુણ્યાદિ-સહચરિત સ્વરૂપે પ્રાપ્ત ન થાય તો કોઈ પણ રીતે શ્રી આચાર્યાદિપદની પ્રાપ્તિ થતી નથી. કારણ કે ભાવાચાર્યપદાદિની પ્રાપ્તિ માટે ક્ષયોપશમાદિ ભાવો અપેક્ષિત છે. આ રીતે નામાદિની સ્થાપના કર્યાદિની પ્રાપ્તિ માટે અત્યંત ઉપયોગી બને છે..
અથવા નામાદિની સ્થાપના સામાન્યથી ઉપર જણાવ્યા મુજબ કીર્તિ-આરોગ્યસ્વરૂપ મોક્ષની સમ્માપ્તિને સૂચવનારી છે. વર્તમાનમાં કેટલાક વિવેચકો આ ગાથાનો આધાર લઈને કર્યાદિ માટે પણ ઘર્મ કરી શકાય છે...વગેરે જણાવે છે. એ વિષયમાં શ્રી જિનશાસનની મોક્ષેકલક્ષિતા-આ પુસ્તિકામાં પે.નં. ૩૪માં જણાવેલી વિગત અહીં યાદ રાખવી..૧૨-૯
| *** દીક્ષાના વિષયમાં નામાદિન્યાસ માટે કેમ પ્રયત્ન કરવો? એમ યત્ન કરવાથી શું પ્રાપ્ત થાય છે ?- આવી શક્કાનું સમાધાન કરાય છે –
तत्संस्कारादे षा दीक्षा सम्पद्यते महापुंसः । पापविषापगमात् खलु सम्यग्गुरुधारणायोगात् ॥१२-१०॥