________________
બધો લાભ કુલીન આત્માઓને થઈ શકે છે. અકુલીનોને તેવા કોઈ લજ્જાદિ ગુણો ન હોવાથી એ લાભ થતો નથી.
પૂર્વના મહાપુરુષોએ તે તે સ્વરૂપે ઉપર જણાવ્યા મુજબ તે તે નામને ધારણ કર્યું હતું તેથી તે નામની જ સ્થાપના પરમાર્થથી દીક્ષા તરીકે વર્ણવાય છે. બાકી બધી ક્રિયાઓ તો તે મુખ્ય દીક્ષાના ઉપચાર સ્વરૂપે કરાય છે. એમાંની દેવવંદનાદિ ક્રિયાઓ દીક્ષામાં નામસ્થાપનની પૂર્વે હોય છે અને કાયોત્સર્ગાદિ ક્રિયાઓ ઉત્તરમાં [પછી] હોય છે. તેથી તે ક્રિયાઓ મુખ્યદીક્ષાના ઉપચાર સ્વરૂપે વર્ણવાય છે. કારણ કે તે જ્ઞાનના ઉપચાર પૂજ] સ્વરૂપ છે. ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧૨-૮
નામ, સ્થાપના વગેરેના ન્યાસમાં આટલો બધો આદર શાથી કરાય છે ?- આવી શંકાનું સમાધાન કરાય છે –
कीर्त्यारोग्यध्रुवपदसम्प्राप्तेः सूचकानि नियमेन । नामादीन्याचार्या वदन्ति तत्तेषु यतितव्यम् ॥१२-९॥
“કીર્તિ, આરોગ્ય, સ્થિરતા અને પદની સંપ્રાપ્તિને ચોક્કસપણે સૂચવનારાં નામાદિ છે-એમ આચાર્યભગવંતો કહે છે; તેથી તે નામાદિના ન્યાસમાં પ્રયત્ન કરવો જોઈએ.”- આ પ્રમાણે નવમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે આઠમી ગાથાથી દીક્ષાનું નિમિત્તત્વ નામસ્થાપનમાં સિદ્ધ કરીને જણાવ્યું. સ્થાપના, દ્રવ્ય અને ભાવની સ્થાપનાન્યાસમાં દીક્ષાનું નિમિત્તત્વ છે - એ પ્રસિદ્ધ હોવાથી એમાં કોઈ વિવાદ જ નથી. તેથી સ્થાપનાદિના ન્યાસમાં