SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ “આ શ્રી જિનશાસનમાં પૂર્વમહર્ષિઓએ નામ જેમાં નિમિત્ત છે એવા દીક્ષાસ્વરૂપનો જે કારણથી નિર્વાહ કર્યો છે તે કારણે તત્ત્વથી નામની સ્થાપના જ દીક્ષા છે. બીજો બધો વિધિ; મુખ્ય એવી દીક્ષાનો ઉપચાર છે.’-આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે દીક્ષાનું સ્વરૂપ; નામથી જણાવાતા તે ગુણ સ્વરૂપ હોવાથી નામનિમિત્ત[હેતુ]ક છે. કારણ કે ‘પ્રશાંત’ વગેરે નામ કરવાથી પ્રશમ વગેરે સ્વરૂપ પ્રાપ્ત થતું જોવા મળે છે. તે તે નામથી તે તે ગુણનું સ્મરણ થવાથી તે તે ગુણની પ્રાપ્તિ થાય છે. તાત્પર્ય એ છે કે કોઈ મુમુક્ષુ આત્માને દીક્ષા આપતી વખતે તેનું પ્રશાંત, પ્રશમ, ભદ્ર..વગેરે નામ રાખવાથી તે તે નામના પ્રશમાદિ અર્થનું સ્મરણ થાય છે. તેવા પ્રકારના નામથી જ તે તે નામના પવિત્ર આત્માઓના ગુણો યાદ આવે છે અને તેથી ઉત્તમકુળ અને જાતિસંપન્ન આત્માઓને; ગ્રહણ કરેલી સર્વવિરતિસંબંધી પ્રતિજ્ઞાનું પાલન ખૂબ જ સરળ બને છે. કોઈ સંયોગવશ સાધુ મહાત્માને પરિષહાદિના કારણે અતિ વગેરે થાય ત્યારે પોતાના તે તે પ્રશાંતાદિ નામના તે તે અર્થનું સ્મરણ કરવાથી તેમને ત્યારે એમ થાય કે મારું નામ ક્યાં અને મારું વર્તન ક્યાં? તે તે નામવાળા પૂર્વમહાત્માઓ પરિષહો કઈ રીતે સહેતા ? ક્યાં એમની સહનશીલતા અને ક્યાં મારી અસહિષ્ણુતા ? આવી અતિ વગેરેના કારણે તો તે તારક આત્માઓનું નામ બગડે. આથી એ તારક આત્માઓના પરમપવિત્ર એવા નામને ધારણ કરનારા મને આ અરિત ના શોભે...આ રીતે વિચારવાથી એ. સાધુમહાત્મા અતિ વગેરેને દૂર કરી; ગ્રહણ કરેલી સર્વવિરતિધર્મની પ્રતિજ્ઞાનું પાલન બરાબર કરી શકે છે. આ ૩૪૫
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy